________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણનું વર્ણન આ લોકમાં કરવામાં આવેલું છે. પ્રથમ તે શિષ્યને ગુરૂમાં અને ગુરૂના વચન ઉપર અત્યંત શ્રદ્ધા. હેવી જોઈએ. કારણ કે ગયા લેકમાં જણાવ્યા પ્રમાણે ગુરૂ પાસેથી જ્ઞાન મળે, પણ તે જ્ઞાન ઉપર શ્રદ્ધાની જરૂર છે. જ્ઞાન હોય, પણ જ્ઞાન ઉપર શ્રદ્ધા ન હોય તે તે જ્ઞાન વચનમાત્રમાં રહે, પણ જ્ઞાન અનુસાર વર્તન થતું નથી; શ્રદ્ધા રહિત જ્ઞાન કેવળ આડંબરરૂપે શોભે છે, પણ તેવું જ્ઞાન ચારિત્ર પર અસર કરતું નથી, અને જે જ્ઞાનથી ચારિત્ર ન થાય, તે જ્ઞાન બહુ ઉપગી ગણી શકાય નહિ; માટે જ્ઞાનની સાથે શ્રદ્ધાની જરૂર છે. ગુરૂની પરીક્ષા કરવામાં બહુ વિચારની આવશ્યકતા છે, પણ એકવાર સદ્દગુરૂને ઓળખ્યા પછી તેમના કથનપર સંપૂર્ણ વિશ્વાસ રાખવા વર્તવું જરૂરનું છે. વળી શિષે પરેપકારી સ્વભાવવાળા હેવા જોઇએ. જ્ઞાનને ખરે ઉપયોગ પોપકારજ છે. જેનું જ્ઞાન પપકારમાં વપરાયું નથી, પણ ગર્વનું કારણભૂત થયું છે, તેનું જ્ઞાન કુપાત્રે પડયું છે એમ માની શકાય. જ્ઞાન અથવા આત્માની બીજી કઈ પણ શકિત અભિમાન માટે નથી, પણ અજ્ઞાનીનું અજ્ઞાન દૂર કરવાને માટે છે, તેમજ જ્ઞાન જાણી તે પ્રમાણે વર્તવા માટે છે, એ વિચાર હદયથી ક્ષણવાર પણ વિચાર નહિ સર્વ પ્રકારના મદને દૂર કરવાનું સાધન જ્ઞાન છે. પણ જે જ્ઞાનને જ મદ થાય તે પછી તેને વાસ્તે બીજો એક પણ ઉપાય જ આવે નહિ. માટે જ્ઞાન ગર્વના કારણભૂત ન થાય એ વિચારથી પ્રથમથી પરેપકાર વૃત્તિ હોવાની જરૂર છે. કઈ
For Private And Personal Use Only