________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર.
टीका-सर्ववेदिभिः सर्व पदार्थों भाषिनी कथितौ कौ द्वौ ? इत्यपक्षायामाह । जीवाजीवौ तत्र द्वयोर्मध्ये जीवस्य लक्षणं चेतनापरिकीर्तितम् । उद्देश्य क्रमानुराधेन क्लोबनिर्देशः७
અવતરણ–આ પ્રમાણે આટલા કલેકે સુધી ગુરૂમાહામ્ય વર્ણવી હવે ગ્રન્થકાર ગુરૂગમદ્વારા જાણેલા સર્વ શભાષિત સત્તાનું વર્ણન કરતા જણાવે છે કે–
અર્થ–સર્વોએ જીવ અને અજવરૂપ બે પદાર્થ જણાવેલા છે. તેમાં પણ “ચેતનાવાળો ” એ જીવનું લક્ષણ કરવામાં આવેલું છે. ૭
ભાવાર્થ-આ જગતમાં આપણે જે જે પદાર્થ જેઈએ છીએ, અથવા જે જે પદાર્થોને પાંચ ઈન્દ્રિય અને મનવડે અનુભવ થઈ શકે તે સર્વ પદાર્થોને જીવ અને અછવરૂપ બે તમાં સમાવેશ થાય છે જીવ અને જીવન રહિત એ બેમાંની એક વ્યાખ્યા આ દુનિયામાંના ગમે તે પદાર્થને લાગુ પાડી શકાય. તે બે પદાર્થોના જુદા જુદા નામ આપવામાં આવેલા છે. પુરૂષ અને પ્રકૃતિ, જીવ અને અજવ, ચેતન અને જડ, આત્મા અને પુદગલ, બ્રહ્મ અને માયા; આમ અનેક રીતે જગતના પદાર્થોના નામ આપી શકાય, પણ આ બે પદાર્થોમાં સમાવેશ થતો ન હેય, તે એક પણ પદાર્થ આ વિશ્વમાં નથી, કારણ કે સર્વ પદાર્થોને જાણવાવાળા સર્વાએ આ બે વિભાગ પાડેલા છે; અને તે બરાબર વિચાર કરતાં પણ બુદ્ધિગમ્ય ભાસે છે.
For Private And Personal Use Only