________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૩ કરમાઈને ખરવા માંડે છે. આ રીતે આત્મધ્યાનથી કર્મ ખરી પડે છે, અને આ રીતે આત્માને આવરણ કરનાર કર્મ ખરી પડવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, માટે આ ક્ષેકમાં કહેવું છે કે દયાનથી સર્વ કર્મને છેદ કરનારી આમ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આવું સતત ધ્યાન કરવામાં વિખરૂપ થનારાં બે કારણો ગ્રન્થકાર પ્રકટ કરે છે. તે નિન્દા અને નિદ્રા છે. આત્મ ધ્યાનના અભ્યાસીઓએ આ બે દેને અવશ્ય ટાળવા જોઈએ. નિન્દાનું વ્યસન એવું છે કે જેમ તેને આસ્વાદ લેવામાં આવે તેમ તેમ તે વિશેષ વૃદ્ધિ પામે છે. બીજી ટેવોની માફક નિન્દા કરવાની પણ ટેવ પદ્ધ જાય છે, તે ટેવ એકદમ છુટતી નથી, અને જેનું મન નિન્દા કરવામાં રોકાઈ ગયું, તેનું મન આત્મ ધ્યાનમાં સ્થિર થઈ શકે નહિ. મન એકજ સમયે એકજ બાબતને ઉપયોગ રાખી શકે, એવો નિયમ હોવાથી આત્મધ્યાન અને નિન્દા બને સાથે સંભવી શકે નહિ, માટે જ તે દેષ સર્વથા ટાળવે. તેનાથી કાંઇ પણ લાભ નથી, અને ઉલટ તે અવગુણ આપણને સં. સારમાં રખડાવે છે, અનેકને શત્રુ બનાવે છે, માટે તેની છાયા પણ લેવી નહિ. વળી તે સાથે નિદ્રાને ત્યાગ કર. નિદ્રા આલસ્ય સૂચક છે. આલસ્ય પ્રમાદ એ મોટો દેશ છે. આત્મ માર્ગમાં વિઘ કરનાર તેર કાઠીયામાં પ્રમાદ મુખ્ય સ્થાન ભેગવે છે. આમ ધ્યાન રસિક પુરૂષે ક્ષણ પણ પ્રમાદ સેવ જોઈએ નહિ ક્ષણ પણ મનને બીજે માર્ગે દોરવાઈ જવા દેવું જોઈએ નહિ, પણ તેના ઈષવિષય-આત્મા પર*
For Private And Personal Use Only