________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ અર્થ-જ્યારે કેઈ આત્માને પ્રભુ,વિભુ, પરમઈ તરીકે સ્મરે, ત્યારે તે તન્મય થાય છે, અને જન્મ વડે ગેરેને નાશ કર્તા નીવડે છે. જે ૭૮
ભાવાર્થ–સાત્માનું કેટલું બધું સામર્થ્ય છે, તેની આપણને બિલકુલ જાણ નથી. તે વાતે ગ્રન્થકત્તા ફરી ફરીને જણાવે છે કે આમાની શક્તિ અનંત છે. આત્મા ના એટલા બધા ગુણે છે કે કેઈ અનુભવી રાતને દિવસ આખી જીંદગી સુધી તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરે તે પણ તે સમર્થ થઈ શકે નહિ. છતાં આ જગતમાં જ્યાં સુધી આપણી અંતર્ ચક્ષુ પુરી નથી, ત્યાં સુધી તે શબ્દ જ તેનું સ્વરૂપ જણાવી શકે. માટે કેટલાક વિશેષણે આ કલાકમાં આત્માના આપેલા છે. તે વિશેષ ઉપર મનન કરી વાચક વર્ગ પિતાના હૃદય આગળ આત્માનું સ્વરૂપ લાવવા પ્રયત્ન કરે. આત્મામાં કર્મને છેદ કરવાની શક્તિપ્રભાવ છે, માટે તે પ્રભુ કહેવાય છે. વળી જ્ઞાનવડે લેકાલેકના પદાર્થ જાણવાને શક્તિમાન છે, એટલે કે કેવળ જ્ઞાનવડે સર્વ વ્યાપી હેવાથી તે વિભુ કહેવાય છે. આ સાથે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત વીર્ય વગેરે અનંતરુદ્ધિ આત્મા પાસે હેવાથી તે પરમઈશ કહે વાય છે. આ સઘળા વિશેષણ જેને યથાર્થ રીતે લાગુ પડે છે, તેવા આત્માનું જે સ્મરણ કરે છે, તે તન્મય થાય છે.
સ્મરણ કરવું એટલે એક વાર સંભારી જવું એ અર્થ નથી. જેમ પોતાને વહાલી વસ્તુનું કે મનુષ્ય એક દિવસમાં હજાર વાર સ્મરણ કરે છે, તેમ જે ખરા પ્રેમથી
For Private And Personal Use Only