________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
•
પુસ્તકા અલાકી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વળી તે ધ્યાન કરે છે, અને ધ્યાનદ્વારા, સમાધિદ્વારા, આત્મરમણુતાદ્વારા વસ્તુનુ યથાર્થ સ્વરૂપ સમજે છે, તેજ વખતે તેના સ'શય ટળી જાય છે. આત્મામાં દરેક વસ્તુનુ તેના ગુણ પર્યાય સહિત પ્રતિબિ'બ પડે છે, તેથી આત્મજ્ઞાનીને કોઇપણ વસ્તુનુ જ્ઞાન મેળવવા ખાદ્ય વિષયેામાં ભમવુ પડતુ નથી તે અંતર્મુખ ષ્ટિવાળે છે, અને તરત જ તેની શંકા ટળી જાય છે. આ કેવી રીતે થાય છે તે તેના અનુભવીએ વધારે સારી રીતે સમજી શકે.
પણ કર્મગ્રન્થી ભેદાય, સર્વ સ’રાયા ટળી જાય, તે માટે ગુરૂની આજ્ઞાનુસાર ધર્મમાં પ્રવૃત્ત થવું જરૂરનું છે. ધર્મ સુખને આપવાવાળા છે. આ સુખ તે મેક્ષ સુખ છે. મેક્ષ સુખ પણ ધર્મની સમ્યગ્ રીતે આરાધના કરવાથી મળી શકે છે તે પછી ઇંદ્રાદિકનાં સુખ તે મળી શકે તેમાં આશ્ચર્ય શુ? ગુરૂની આજ્ઞા એ શબ્દ એટલા માટે મુકવામાં આવેલા છે કે આત્મજ્ઞાનના વિકટમાર્ગમાં ગુરૂ અરાબર દોરી શકે છે. ગુરૂવિના તે માર્ગમાં અડચણ આવે ત્યારે શું કરવું તે સુઝતું નથી, અને પછી જીવ ગભરાય છે, અને એકાએક તે ઉચ્ચ અધિકાર પરથી પતિત થાય છે. માટે જો તેવા સમયે ગુરૂનુ' આલમન હોય તે તે બહુ જ ઉપયોગી નીવડે છે.
अवतरणम् - - - केचिदेकान्तोद्यमवादिन उद्यमेनैव मुक्तिं मन्यमानाः तानुपालभते.
For Private And Personal Use Only