________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપનારા રૂડા ધર્મમાં તેણે પ્રવર્તવું. . ૬૧ છે
ભાવાર્થ—ઉદ્યમથી માણસ કેવાં કેવાં કાર્ય કરી શકે છે તે આ લેકમાં જણાવવામાં આવેલું છે. પ્રથમ કર્મની ગ્રન્થિ-કર્મના બંધ તે મનુષ્ય તેડી નાખે છે. આ
મા પોતાના પુરુષાર્થ વડે કર્મને વિખેરી નાખે છે. આત્મા કર્મને કર્ત, ભેંકતા તેમજ સંહર્ત પણ છે. આશ્રવને કરનાર કર્તા છે, તેમજ નિરા અને છેવટે મોક્ષને કર્ત પણ આત્મા છે. જેવી રીતે આપણે તેને વાપરીએ તેવી રીતે તેને ઉપયોગ થઈ શકે. માટે આલેકમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને પુરૂષાર્થ, કરે. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનાર નિષ્કામ પુરૂષાર્થ કરે છે; અને તેથી પાપ કે પુણ્ય બંધાતા નથી. પાપ જેમ બંધનરૂપ છે, તેમ પુણ્ય પણ બંધનરૂપ છે. એક લોઢાની બેડી છે, એક સોનાની બેડી છે, પણ બન્ને બેડરૂપ છે, માટે તે બન્ને પ્રકારની બેડીથી મુકત થવાય તે ઉપાય આદરણીય છે. જો કે પ્રારંભના પગથીયામાં પુણ્ય આદેય છે; પણ આગળ જતાં તે પણ હેય છે, એમ વિચારવાનું છે. માટે નવાં કર્મ ન બંધાય તેમ નિસ્પૃહતાથી પ્રવર્તવું અને શુદ્ધ જ્ઞાનકિયાવડે પૂર્વનાં કર્મને સંહાર કરે,એટલે વખ ત જતાં સર્વ કર્મને અંત પુરૂષાર્થી પુરૂષ લાવી શકે છે.
પુરૂષાર્થી બેસી રહેતું નથી, પણ ઉદ્યમ કરે છે; જ્ઞાન પ્રાપ્ત કરવા સર્વદા પ્રયત્નશીલ હોય છે, જે જે શંકા પડે તેનું ગુરૂગમવડે સમાધાન મેળવે છે.
For Private And Personal Use Only