________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનું જે ધ્યાન કરે તે તે થાય છે. જે મુમુક્ષુએ આ માની નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવી હોય તે આત્માની નિર્વિકપ દશા ઉપર ધ્યાન કરવું. ગયા કલેકમાં વિચારી ગયા પ્રમાણે મનની એકાગ્રતા એ દયાનનું ઉતમ પગથીયું છે. તત્ર પ્રતાના સ્થાનમ્ એ મહર્ષિ પતંજલિએ આ પેલી વ્યાખ્યા પણ સૂચવે છે કે જે વસ્તુઉપર આપણે વિચાર કરતા હોઈએ તેની સાથે એકતાન થવું તેજ ધ્યાન કહેવાય છે.
તે મનને વશ રાખવું એ કામ એટલું બધું વિકટ છે કે શ્રીમદ આનંદ ઘનજીએ શ્રીકુંથુજીનસ્તવનમાં લખ્યું છે કે –
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહિ એટી, પણ કહે મેં સાધ્યું તે નવિ માનું એ વાત છે મટી.
વળી મન વશ થઈ શકે છે, એ તે તે જણાવે છે કે, હું આગમ આધારે માનું છું, પણ હે પ્રભુ ! જે તમે મારૂં મન વશ કરી શકે તે હું માની શકું કે મન વ. શમાં રાખી શકાય તેવું છે. આવું દુરારાધ્ય મન જે અમે ભ્યાસ પાડવામાં આવે તે વશ થઈ શકે. તીર્થંકરો તે વશ કરી શક્યા હતા, એ બાબતને શાસ્ત્રમાં અનેકઘા પુરાવો મળે છે; આપણો આત્મા સ્વરૂપમાં તીર્થકરના જેવું છે, તે બાબત કેઈથી ના પાડી શકાય તેમ નથી. તે આ પણે પણ આત્મશકિતમાં દઢ પ્રતીતિ રાખી પ્રયત્ન કરીએ તે તે કામ કરી શકીએ. માત્ર આત્મબળમાં ઢદ શ્રદ્ધા
For Private And Personal Use Only