________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેક વિશેષણે આપવામાં આવે તે પણ અનુભવ જ્ઞાન વિના પરમ તિનું દર્શન કદાપિ થાય નહિ, તેને વાસ્તે શુદ્ધ ચારિત્ર અને આત્મ ધ્યાનની આવશ્યકતા છે.
અવતરણ–આત્માના બાકી રહેલા ગુણે આ લેકમાં વર્ણવેલા છે, જે વસ્તુ પંચઈદ્રિ અને મનની પણ પિલીપાર હોય, જ્યાં મન અને વાણી પણ પહોંચી શકતાં ન હેય તેવા પદાર્થનું નિરૂપણ કરવાને, તે જેટલી અપેક્ષાથી વિચારાય તેટલી લાભકારી છે, એમ વિચારી ગ્રન્થકાર બાકીના આમાના ગુણોનું પ્રતિપાદન કરે છે.
અર્થ–આત્મા, વ્યકિતની અપેક્ષાએ, અજ, સ્વયં ભુવ, અનાદનન્ત, સાક્ષર, છે. આ પ્રમાણે આત્મતત્વને જે જાણે છે, તેને ગિરાજ જાણ. . ૩ર
ભાવાર્થ–આત્મા અજ છે, આત્માને જન્મ નથી, અમુક કાળે આ આત્માની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય નહિ; તે અપેક્ષાએ આત્મા અજ છે. આત્મા ત્રણે કાળમાં છે તેને તે છે, એટલે તેની ઉત્પત્તિ કયારે થઈ એમ કેણ કહી શકે? વળી આત્મા સ્વયંભુવ છે, કોઈ તેને ક કે સંહર્તા નથી, તે અનાદિ અનત છે. જગતમાં જેટલા પદાર્થની આદિ છે તેને અંત પણ છે. આત્મા અનાદિ એટલે આરંભ રહિત, તેમજ તે અંતરહિત પણ છે. ત્રણે કાળમાં જે વસ્તુ એક સરખી રીતે નિત્ય રહી શકે તે અનાઘનત કહી શકાય. તેના અસંખ્ય પ્રદેશમાં લેશ માત્ર પણ ફેર પડતું નથી. વળી તે સાક્ષર છે, ક્ષર
For Private And Personal Use Only