________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ? ભય પામેલાને મૃત્યુ છેડી દેતું નથી જેટલા જમ્યા તેટલાને વાતે મરણ નિશ્ચિત છે જે તું મૃત્યુના ભયથી મુક્ત થવા ઈચ્છા રાખતે હેય તે ફરીથી જન્મ ન લે પડે, તે પ્રયત્ન કર. કહેવાને ભાવાર્થ એ છે કે જન્મતાને વાતે મરણ છે. પણ આત્મા તે જન્મતું નથી તેમ તેનું મરણ પણ નથી. આ સઘળું નિશ્ચયને આધારે કહેવામાં આવ્યું છે, એ વિચાર ક્ષણવાર પણ દૃષ્ટિ આગળથી દૂર રાખે નહિ. આત્માને જન્મ મરણ નથી એટલું જ નહિ પણ તેને દેહ પણ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તેને આપણે અત્રે નિશ્વય નયથી વિચાર કરીએ છીએ છીએ, અને તે અપેક્ષાએ આત્મા દેહાતીત છે, આત્માને પૂર્વ કૃત કર્મના બળથી દેહ વળગે, પણ આત્મજ્ઞાની તે દેહને ઉપાધિ રૂપ સમજે છે, સાધન રૂપ ગણે છે. પણ પિતે તેનાથી ન્યારે છે, એવી બુદ્ધિ એક ક્ષણવાર પણ તે આત્મજ્ઞાનીના ચિત્તમાંથી ખસતી નથી. એટલે અંશે તે બુદ્ધિ રાખવામાં પ્રમાદ તેટલે અંશે અજ્ઞાન સમજવું. જ્યારે આત્માને જન્મ મરણ તથા દેહ નથી ત્યારે તે કે છે, એવી શંકાના સમાધાન અર્થે ગ્રંથકારજ જણાવે છે કે તે ચિસ્વરૂપી છે, તે જ્ઞાનમય છે. તે જ્ઞાનસ્વરૂપી છે આત્માને ક૯પસૂત્રમાં જ્ઞાનઘન કહે છે. આત્મા અને જ્ઞાન તે ભિન્ન નથી, તે બેને તાદામ્ય સંબંધ છે. વળી આત્મા નિર્લિપ છે. કોઈ પણ પ્રકારના લેપથી તે મુક્ત છે. નિશ્ચયથી તે કર્મમળ રહિત છે. જેમ કોઈ સિંહનું બચ્ચું ભૂલથી ઘેટાનાં ટેળામાં રમે અને
For Private And Personal Use Only