________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મ રૂપ હતું, તેને સાક્ષાત્કાર થાય છે, આત્મા તે ૫રમાત્મા છે, આ વિચારથી આસવને ધ થાય છે, એમ આ લેકમાં કહેવામાં આવેલું છે. તે શબ્દોની સત્યતા બ. તાવવા હવે પ્રયત્ન કરવામાં આવે છે. હું પરમાત્મા છું એ વિચારથી દેહાધ્યાસ છૂટી જાય છે. દેહ તે હું છું એ વિચાર રાખવો તે દેહાધ્યાસ કહેવાય છે, જગતમાં જે જે કક થાય છે, તે મુખ્યત્વે આ દેહાધ્યાસથી થાય છે. દે. હને પોષવાને અને ઈન્દ્રિયને તૃપ્ત કરવાને માણસને અનેક પ્રકારના ધનની જરૂર પડે છે, જેમ, તૃષ્ણાઓ વિશેષ તેમ વિશેષ ધનની જરૂર હોય છે. ન્યાયથી માણસ એકદમ વિશેષ ધન પ્રાપ્ત કરી શકે નહિ, માટે મનુષ્ય કુકર્મ અને અનાચાર અથવા અન્યાયી કાર્ય કરવા દેવાય છે, તેથી આસવ થાય છે. માટે દેહાધ્યાસ એજ સર્વ અનર્થ નું મૂળ છે. એક ગ્રંથમાં રહ્યું છે કે ---
देहात्माबुद्धिजं पापं न तगोवधकोटिभिः । आत्माहं बुद्धिजं पुण्यं न भूतं न भविष्यति
દેહ તેજ આત્મા છે, એવી બુદ્ધિથી, એવા વિચારથી ઉત્પન્ન થતું પાપ કરડ વધ કરતાં પણ વિશેષ છે, અને આત્મ તેજ હું છું એવા વિચારથી ઉત્પન્ન થતું પુણ્ય ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ, કહેવાને ભાવાર્થ એ છે કે તે પુણ્ય અદ્વિતીય છે, જેના ધન ભાગ્ય હોય તેને ગુરૂકૃપાથી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય માટે મુમુક્ષુઓએ મેળવવાની ઈચ્છાવાળા પુરૂએ સર્વદા તે ભાવના ભાવવી. તે બાબતમાં જરા પણ પ્રમાદ કરવો નહિ. પ્રમાદથી એટલે
For Private And Personal Use Only