________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કર્મના સંબંધથી તે અશુદ્ધ તરીકે ઓળખાય છે, આ અશુદ્ધતા તે આત્માની વિભાવિક દશા છે. અને પુદ્રગલ કર્મના સંબંધથી આત્મા રાગદ્વેષમય ભાસે છે. જે તે રાગદ્વેષને માણસ અસત્ય જાણે, અને રાગદ્વેષ આત્માને વસ્તુતઃ અસર કરી શકનાર નથી એમ અનુભવે, તે રાગ
તેને અસર કરી શકતા નથી. જે રાગદ્વેષને પોતાના માને તેજ તેઓ તેને અસર કરી શકે. પણ રાગદ્વેષ તે આત્માના નહિ પણ પુદ્ગલિક કર્મના આવિભાવ છે, અને પુદ્ગલિક કમ તે હું નથી, એવું જે વિચારે તે રાગદ્વેષથી લેપ નથી. રાગદે તેવા આત્મા અને જડ વસ્તુને ભેદ જાણનાર પર પિતાની સત્તા કબુલ કરાવી શકતા નથી. રાગદ્વેષ તે નિત્ય નહિ પણ ક્ષણિક છે, કારણ કે તે આ માના ગુણ નહિ પણ અશુદ્ધ પર્યા છે. પર્યાયે ઉપર જણાવી ગયા પ્રમાણે ક્ષણિક છે, અને સમયે સમયે બદલાય છે. માટે આત્માના કર્મ સંબંધને લીધે ઉત્પન્ન થ. તા રાગદ્વેષને આત્માના નહિ માનતા આત્માના વિભાવિક પર્યાયે જાણવા જોઈએ. સમુદ્રમાં ગમે તેટલા કલેલે ઉ. ત્પન્ન થાય, પણ ખડક ઉપર ઉભેલાને તે અસર કરી શકતા નથી. આત્મા ઉપર સ્થિર ચિત્ત રાખી, આત્માતેજ હું એવું ભાન ધરાવનારને તે વિકારે જરા પણ અને સર કરી શકે નહિ. આ સર્વ નિશ્ચય પ્રમાણે લખાણ થાય છે, એ વાચક વર્ગ ક્ષણ વાર પણ વિસરવું નહિ.
अवतरणम्-शुद्धोपि आत्मनि शुद्धनयेन परिणामित्व मुपपद्यते इत्याह स्वस्मिन्निति ।।
For Private And Personal Use Only