________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गादिमत्तां मिथ्याजानत आत्मारामस्य तत्र नासक्तिर्भवतीति ઘરમાર્થઃ | ૬ |
અવતરણ–આત્મા અને કર્મને કે સંબંધ છે, અને કમને લીધે ઉત્પન્ન થતી સ્થિતિ આત્માને કેવી રીતે વ્યવહારમાં આરેપિત કરવામાં આવે છે, તે બાબત ગ્રન્થ કાર હવે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અથ–અનાદનન્ત જીવની સ્વાભાવિક સ્થિતિ શુદ્ધ છે, પણ વ્યવહાર નયની અપેક્ષાએ કર્મને લીધે આમાનું પર પરિણામ પણું કહેવામાં આવે છે.
ભાવાર્થ-જીવ અનાદિ અન છે. જીવની ઉત્પત્તિ તેમજ અંત નથી. જેની ઉત્પત્તિ હોય તેને અંત પણ હય, પણ જીવ અનાદિ હોવાથી તે અનત છે. તે કદાપિ મરતું નથી, તે અમર છે. એવા જીવની સ્વાભાવિક સ્થિતિ શુદ્ધ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિરંતર શુદ્ધ છે. ત્રણે કાળમાં આત્મા પવિત્ર, સુકત, શુદ્ધ, બુદ્ધ છે, શાન, દર્શન અને ચારિત્ર એ તેનાં ત્રણ સ્વરૂપ છે. બીજી રીતે શબ્દોમાં કહીએ તે સત્, ચિત્, અને આનંદ એ આ ત્માનાં ત્રણ સ્વરૂપ છે. એ ત્રણ સ્વરૂપવાળે આત્મા નિર્મળ છે, પણ કર્મને લીધે તે અશુદ્ધ બને છે. દાખલા તરીકે ફટિક મણિ સ્વભાવે નિર્મળ છે. પણ જે તેની નીચે જાસુદનું પુષ્પ મુકવામાં આવે તો તે પુષ્યની રતાશને લીધે તે મણિ પણ લાલ દેખાય છે, તેમ આત્મા પણ સ્વભાવે શુદ્ધ છે,
For Private And Personal Use Only