________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
અનિત્ય છે, ત્રણે કાળમાં આત્મદ્રવ્ય વિનાશ પામતુ' નથી, તે અપેક્ષાએ આત્મા નિત્ય છે, પણ તેના પર્યાયમાં ફેરફાર થયા કરે છે, માટે પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય ગણાય છે. જીવદ્રવ્ય અનન્ત છે. એકેક જીવમાં અસખ્યાત પ્રદેશ છે, માટે તે અપેક્ષાએ આત્માનુ સ્વરૂપ અનેક છે. દ્રષ્યાકિ નયની અપેક્ષાએ આત્મા એક છે. અને સગ્રહનયથી તે સૌંસારી અને સિદ્ધના જીવા સ્વરૂપે સમાન છે, જીવસ્ર પશુ. એક સરખુ” હાવાથી જીવનુ એકપણુ' પણ કહી શકાય. આત્મા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્ કહેવાય છે, અને તેજ આત્મા પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ કહેવાય છે. આત્માને અનંત ગુણ પર્યાય છે, તેમાંથી કેટલાક કહી શકાય તેમ છે, અને કેટલાક કહી શકાય તેમ નથી, માટે વકતવ્ય અને અવકત ન્ય એ બન્ને પક્ષ આત્માને લાગુ પાઢી શકાય, શ્રી કેવળ જ્ઞાની ભગવાને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જાણ્યું, પણ તેમાંથી નતમે ભાગે જે વકતવ્ય હતુ કહેવા ચેાગ્ય હતુ તે કહ્યું, ખીજું અવકતવ્ય રહ્યું. આત્મ સ્વરૂપ કહેવાને તીર્થંકર જેવા સમર્થ જ્ઞાનીઓએ પ્રયત્ન કર્યા પણ આ વૈખરી વાણીદ્વારા તેઓએ તેના સ્વરૂપને કેટલેક ભાગ પ્રદર્શિત કરી શકયા. જેટલે ભાગ જણાયા તે વક્તવ્ય કહેવાય, અને જે જણાયા વગરના રહ્યા તે અવકતવ્ય ગણી શકાય. આ રીતે આત્મા વકતવ્ય તેમજ અવકતવ્ય કહી શકાય. વળી આત્મામાં આસ્તિપણું તેમજ નાસ્તિપણુ છે. આ અસ્તિત્વ અને નાસ્તિત્વ આ આઠ પક્ષમાંના સત્
For Private And Personal Use Only