________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः अष्टपक्षण त्वं युक्तः अस्तिनास्तिगुणान्वितः आनन्त्यमस्तितायाश्च नास्तितायास्त्वयि ध्रुवम् ॥
टीका-अस्तिनास्तिताधष्टपक्षण हेआत्मन् त्वं युक्तः तत्राष्टपक्षाणां मध्येऽस्तितायाश्च नास्तिताया आनन्त्यं त्वयि चेतने ध्रुवम् वर्त्तत इति ॥ ९० ॥
અવતરણ–આત્માને ભવ્યાભવ્ય સ્વભાવ ગયા લેકમાં આપણે ટુંકમાં વિચારી ગયા, હવે આત્મામાં જે અષ્ટપક્ષ ઘટી શકે છે, તે આઠ પક્ષની બાબત ગ્રન્થકાર રજુ કરે છે.
અર્થ–હે આત્મન્ ! તું અષ્ટ પક્ષથી યુક્ત છે, અસ્તિ નાસ્તિ વગેરે ગુણથી જોડાયેલું છે; અને તારી એ દર અસ્તિત્વનું અને નાસ્તિત્વનું અનંતાણું ચેકસ રીતે રહેલું છે. જે ૯૦ છે
ભાવાર્થ—જેનશાસ્ત્રમાં આઠ પક્ષ છે, એટલે એકજ વસ્તુને આઠ ભિન્ન ભિન્ન બાજુથી જોવાની રીત છે. તે આઠ પક્ષ નીચે પ્રમાણે છે. (૧) નિત્ય, (૨) અનિત્ય, (૩) એક, (૪) અનેક, (૫) સત્, (૬) અસત્, (૭) વક્તવ્ય, (૮) અવક્તવ્ય, આ આઠે પક્ષ યુકત આત્મા છે, તે આઠે પક્ષ આત્માને શી રીતે લાગુ પડે છે, તે આપણે વિચારીએ. આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નથી
For Private And Personal Use Only