________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકરૂ
લીધે કઈ વસ્તુ અથવા જીવની ઉપાધિ તરફ થતી આસઇક્તિ આ આસક્તિ ખરી રીતે આત્માની નથી, કારણ કે આત્મા વસ્તુતઃ રાગ રહિત છે. જે રાગ રહિત હોય તેજ દ્વેષ રહિત પણ હોય કઈ વસ્તુ ઉપર આપણને રાગ થયે હાય, અને તેવામાં તે ન મળે તે તે ન મળવામાં વિન કરનાર ઉપર ટૅપ થાય છે. માટે રાગ એજ દ્વેષનું કારણ છે; પણ આત્મા તે રાગ દ્વેષ રહિત છે, વળી આત્મા કૃતાર્થકૃતકૃત્ય છે. તે પોતાની અંદર જ સંતોષ માને છે. તેને બાહ્યથી સુખ મેળવવાનું નથી; જે તત્વ છે તે આ ભામાં જ છે. વ્હાર ગમે તેટલું શોધવામાં આવે તે પણ તે મળતું નથી. કારણ કે અંતરમાં જે તત્વ હોય તે બાહ્ય વિષમાં કયાંથી મળી શકે ! માટે જ આ ગ્રંથકાર બધ આપે છે કે, તમે તે બાહોમાં ક્યાં શોધે છે ! તમે તે શેધવાને ભુલા કયાં ભમે છે ? અંતરમાં તેની તપાસ કરે, ત્યાં જ તે જડશે. બીજે કઈ સ્થળે તે મળવાનું નથી. જે લોકો સમજુ હોય છે, તે આ બાબત ઝટ સ્વીભકારી લે છે. પણ અજ્ઞાની મનુષ્ય બાહ્ય વિષમાં તે શોધે છે, અથડાય છે, દુઃખ ખમે છે, અને છેવટે થાકીને અંતર્મુખ વળે છે, માટે થાકીને તે કામ કરવું પડે તેના કરતાં પ્રથમથી જ તે કામ કરવામાં આવે તે વિશેષ લાભ થાય.
अवतरणम्-आत्मज्ञानेनैवात्मना सम्यक्त्वं प्राप्यत इति व्याचष्टे ।
For Private And Personal Use Only