________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૦ જ્યારે પિતાના સ્વરૂપનું યથાર્થ રક્ષણ કરે, ત્યારે તેની મહત્તા રહે છે. આત્મા આત્મધર્મનું રક્ષણ કરે છે તેમાં તેની મહત્તા છે. અગ્નિ જ્યાં સુધી પિતાને ઉષ્ણુધર્મ જાળવી રાખે છે, ત્યાં સુધી સિંહ અને વાઘ આદિ ભયંકર પ્રાણીઓ પણ અગ્નિથી ભય પામી પલાયન કરી જાય છે, પણ જ્યારે અગ્નિ પિતાનું સ્વરૂપ તજી દે છે, એટલે ઠડે થઈ જાય છે, ત્યારે કીડી પણ તેની રાખમાં ચાલી રાકે છે, અને જાજવલ્યમાન અગ્નિ રાખનું ઉપનામ મે. ળવે છે, દરેક વસ્તુની તેના પિતાના ધર્મથી મહત્તા છે, તેમ આત્માની પણ જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ પિતાના ગુણોને લીધે મહત્તા છે, માટે તે ગુણેને આંચ ન આવે, બલ્ક તે ગુણે વૃદ્ધિ પામે તેવા પ્રકારનું વર્તન આત્મહિ તાથી એ રાખવું જોઈએ. કારણ કે તે ગુણેના નાશથી આ ભા આત્માને હિંસક બને છે. દયા બે પ્રકારની છે, એક ભાવદયા અને બીજી દ્રવ્યદયા. આત્માના ગુણેનું રક્ષણ કરવાની અથવા બીજાઓને સન્માર્ગ ચઢાવવાની તેમજ આ ત્મજ્ઞાન આપવાની જે વૃત્તિ તે ભાવદયા કહેવાય છે; બીજાના જીવને દુઃખ ન થાય તેવા મનના અધ્યવસાય રાખવા તે પણ ભાવદયા છે. બીજાના દશ પ્રાણને દુઃખ ન થાય તેમ વર્તવું તે દ્રવ્યદયા છે. દ્રવ્યદયા અને ભાવદયા બને આદરણીય છે, છતાં દ્રવ્યદયા કરતાં ભાવદયાને મહિમા અનન્ત ગણે છે. ભાવદયા વિના કદાપિ કેઈને મેક્ષની પ્રાપ્તિ સંભવતી નથી.
આત્મા પિતાને શત્રુ કેવી રીતે છે, તે આપણે વિ
For Private And Personal Use Only