________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭ કરી બહાર રહેતી વૃત્તિઓને તેમજ મનને અંતર્મુખ વા.. ળવાં જોઈએ. આ રીતે ધ્યાનથી–ગથી જ્ઞાન સ્વરૂપ બને રાબર ખીલે છે. ત્રીજું સ્વરૂપ આનંદ છે. તે સ્વરૂપ ખીલવવાને સરાગ સંયમની અપેક્ષાએ ઉત્તમોત્તમ માર્ગ પ્રેમ છે, ઉત્તમ ચારિત્ર છે. કેઈના પણ જીવને ઉદ્વેગ ન થાય તેવું ઉત્તમ પ્રકારનું વર્તન રાખવું જોઈએ, અને જેનામાં છવ છે, જેનામાં પ્રાણ છે, તે સર્વ તરફ પ્રેમભાવ રાખવે જોઈએ. જ્યાં જ્યાં આત્મતત્ત્વ દેખાય ત્યાં ત્યાં બાહ્ય ઉ. પાધિ તરફ દુર્લક્ષ કરી, આત્મતત્વની ઉચ્ચતા વિચારી, આ નંદ પામ જોઈએ, અને હદયથી દરેક જીવ સાથે મૈત્રીભાવના રાખવી જોઈએ. ખરો આનંદ મૈત્રીભાવમાં, બીજાનું ભલું કરવામાં, અને બીજાઓને સન્માર્ગે દોરવવામાં રહેલે છે. આ રીતે આત્માનાં ત્રણ સ્વરૂપ ખીલવવાને ધીમે ધીમે, પ્રયત્ન કરવો જોઈએ. આ ત્રણ સ્વરૂપવાળો આત્મા છે, એમ જાણવાથી, અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન ક. રવાથી અનેક સન્તપુરૂષે તે સચ્ચિદાનંદસ્વરૂપ મેળવવાને ભાગ્યશાળી થયેલા છે. જેનું ધ્યાન કરે તે તે થાય છે, આ ઉત્તમ નિયમ ધ્યાનમાં રાખી પરમાત્મપદ મેળવવાની ખરી ઈચ્છા હોય તે પરમાત્માનું એકાગ્ર મનથી સતત દયાન કરે, અને તમે પણ પરમાત્મા થશે. પરમાત્મપદ અનુભવવામાં જે અંતરાયરૂપ કારણે હશે તે સ્વયમેવ દૂર થઈ જશે.
अवतरणम्-आत्मगुणरक्षणं सर्वथा कर्त्तव्यं तत् क्षतो त्वात्मघातित्वं प्रसज्यत इत्याह ।।
For Private And Personal Use Only