________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્ય સંપન્ન મુમુક્ષુઓને વાસ્તે આ લેકમાં ઉત્તમ માર્ગ દર્શાવવામાં આવેલ છે શુભ કે અશુભ સર્વ કાયોને ત્યાગ ' કરી કેવળ ચિદાનંદ સ્વરૂપી આત્માનું ભજન કરવાને માર્ગ - અત્રે જણાવવામાં આવેલ છે. આ શ્લોક એકાએક કેઈના - વાંચવામાં આવે તે તે એમ માનવાને દોરાય કે આ લેક કિયા માર્ગને ઉચછેદક છે, પણ જરા શાંત મનથી તેનું મને નન કરનારના અનુભવમાં આવશે કે ગ્રંથકતને આશય તે નથી. જે મનુષ્ય ખરો આત્મજીજ્ઞાસુ થાય છે, તે પતાને કરવા એગ્ય કર્તાને અનાદર કરતું નથી, પણ તે કર્તને પણ આત્મજ્ઞાન અનુભવવાના સાધન તરીકે વાપરે છે. ઉદય આવેલાં કર્મ કરતાં છતાં પણ સાધ્ય બિન્દુ તે કદાપિ ચુકતા નથી. આવા કેઈ આત્મ જ્ઞાન રસિક પુરૂષ વિષે કહેવામાં આવેલું છે કે –
आत्मक्रोड आत्मरतिः क्रियावानेष ब्रह्मविदां वरिष्ठः ।
તે આત્મામાંજ કીડા કરે છે, તે આત્મામાં જ રમે છે, એ કિયાવાન બ્રહ્મજ્ઞાનિયામાં શ્રેષ્ઠ હોય છે.
આ રીતે જે કેવળ આત્માનું ચિંતન કરે છે, અને અન્ય ક્રિયાઓને આત્મજ્ઞાનના સાધન તરીકે વાપરે છે, તે મુમુક્ષુ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે, અર્થાત્ મોક્ષ મેળવી શકે છે. જે ઉચમાં ઉચ્ચ સ્થિતિ, તે પણ ચિદાનંદના ધ્યાનથી મેળવાય છે, તે પછી ગ્રન્થકાર એજ કહે છે કે સારા પુરૂષોએ તે મેળવવા પ્રયત્નશીળ થવું, અને તેને વાસ્તે ગયા લેકમાં જણાવવામાં આવ્યું હતું કે ધ્યાન એ ઉત્તમ માર્ગ છે. આત અને રાદૂ ધ્યાનનો ત્યાગ કરી
For Private And Personal Use Only