________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ, અનંત વીર્ય વગેરે છે. આ લેકમાં જણાવેલા વિ. ચારે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયવડે બાદા - ધવાથી આત્માને અનુભવ કદાપિ થવાનું નથી. જે છે તે અંતરમાં છે, માટે ઈન્દ્રિયોને અંતર્મુખ વાળી, તથા મનને સંયમમાં લાવી, જે અંતરમાં શેધવામાં આવે છે તે ત્યાં જડી શકે. નહિ તે બહિર વિષમાં ભટકવાથી કદાપિ આત્મતત્વની પ્રાપ્તિ થવાની નથી. તે રીતે ભૂતકાળમાં કઈ કરી શકયું નથી, અને ભવિષ્યમાં કંઈ કરી શકશે નહિ. આ સાથે ગ્રન્થકાર એક બાબત જણાવે છે જે ઘણે અને ગત્યની છે, અને તે એ છે કે આત્મા ઇન્દ્રિયના ધમ ૨. હિત છે, છતાં ઇન્દ્રિયે દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે પ્રાપ્ત કરવાની તેનામાં શક્તિ છે, અને તે શક્તિ આત્મજ્ઞાનની છે. આત્મજ્ઞાનધારા આત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જાણી શકે છે. જેનધર્મ સંબંધી પોતે ભાષણ કરેલું છે તેમાં વિદુષી એની બસાંટ લખે છે કે “ મુકત આત્મા ઓ ઈન્દ્રિય રહિત, પણ ઈન્દ્રિય શક્તિ સહિત હોય છે આનો અર્થ એ જ છે કે જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે એવા મુતાત્માઓને શરીર નહિ એટલે પંચેન્દ્રિયે હતી નથી, પણ ઇન્દ્રિય દ્વારા જે જે જાણી શકતા હતા, તે સર્વજ્ઞ થવાથી કેવલ જ્ઞાનથી સર્વ જાણી શકે છે. કેવળ જ્ઞાનમાં પંચ ઇન્દ્રિયેનું જ્ઞાન સમાઈ જાય છે, તેથી તેઓ ઈન્દ્રિયાતીત કહેવાય છે. એમનું સ્વરૂપ આપણને લા. ગેલી ઇન્દ્રિયથી પણ જાણી શકાય નહી. વળી આત્મા પુણ્ય અને પાપની પેલી પાર છે, એટલે પુણ્ય અને પાપ
For Private And Personal Use Only