________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જે ગાય કે ભેંસ ખાય તે દુધ રૂપે પરિણમે, વળી તેને કેટલેક ભાગ વિષ્ટારૂપે પણ બદલાઈ જાય; વળી તે વિા ક્ષેત્રમાં અન્નને ઉત્પન્ન કરવામાં કારણ ભૂત થાય. આવી રીતે એક પુદગલ સ્કલ્પમાં અનેકરૂપે પરિણામ પામવાની શકિત રહેલી છે, વિશેષતે શું, પણ એ એક પણ પુદૂગલ દ્રવ્ય સ્કંધ આ જગતમાં વિદ્યમાન નથી કે જેનામાં દરેક પ્રકારની પિાગલિક શક્તિ ધારણ કરવાનું સામર્થ્ય ન હોય. જે પુદગલમાં આટલી શક્તિ હોય તે પછી આત્મપ્રદેશમાં અનંત શક્તિ હોય તેમાં આશ્ચર્ય જેવું નથી. આત્માના દરેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર રહેલું છે. પણ આ સર્વ જેમ સૂર્ય વાદળથી આચ્છદિત થાય, તેમ ઢંકાઈ ગયું છે. જેટલા પ્રમાણમાં વાદળ ખસતું જાય, તે પ્રમાણમાં સૂર્યને પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ, તેજ રીતે જેટલુ કર્મ ઓછું થતું જાય, તેટલી આત્મજતિ પ્રકટ થતી જાય છે. આત્મામાં કાંઈ નવી શક્તિ બહારથી આવતી નથી, શક્તિ તે ત્યાંની ત્યાંજ છે; ફક્ત તેને પ્રકટ કરવાને તેને આવરણ કરનારાં કારણે દૂર થાય તે પ્રયાસ કરવાની જરૂર છે. આત્માના દરેક પ્રદેશે આટલી બધી શક્તિ રહેલી છે, તે પછી સંપૂર્ણ આત્માની કેટલી બધી શક્તિ હશે, તેને ખ્યાલ લખવા કરતાં અનુભવનારને વધારે સારી રીતે આવી શકશે. આમાની કેટલી બધી શકિત છે, તેને જે તમારે ખ્યાલ લાવ હેય, તે આળસુની માફક બેશી ન રહેતાં ઉદ્યમવન્ત થાઓ, તમે જેટલું કામ હાલ કરી શકે છે, તેના કરતાં જરા વિશેષ કાર્ય કરવાનું માથે . તમારામાં તે કરવાનું સામર્થ્ય છે, એવી ભાવના ભાવે, અને
For Private And Personal Use Only