________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ અવતરણ–મેક્ષાધિકારીએ સ્વીકારવા ગ્ય ધર્મોમાં પણ દ્રવ્યધર્મ કરતાં ભાવ ધર્મની વિશેષ મુખ્યતા છે એ બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે.
અર્થ–ભાવધર્મ શુન્ય જે પુરૂષે દ્રવ્યધર્મના પ્રવતક છે, તેઓ આમોપયોગની શુન્યતાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?
ભાવાર્થ-જૈન શાસ્ત્રો દ્રવ્યક્રિયા કરતાં ભાવક્રિયાને ઉત્તમ ગણે છે ઉત્તમ દ્રવ્યકિયા તે ઉત્તમ ભાવનું કારણ છે; પણ ભાવવગર કરાયેલી વ્યકિયા વિશેષ ફળદાતા ની. વડતી નથી. કહેવાને ભાવાર્થ એમ નથી કે દ્રવ્યકિયા ન કરવી, પણ તે ભાવ સહિત કરવી. ધમના ચાર પ્રકાર દાન, શીળ, તપ અને ભાવ છે, તેમાં પણ પ્રથમ ત્રણને આધાર અને ઉત્તમફળ ભાવપર રહેલું છે.
શાસ્ત્રોમાં વારંવાર એમ કહેલું સાંભળવામાં આવે છે કે કિયા કરતી વખતના મનના પરિણામ ઉપર શુભાશુભ કર્મના બંધનો આધાર છે. એક ડકટર કેઈક સ્ત્રીના સડેલા પગનો ભાગ બીજા ભાગને ન સડાવે તે હેતુથી તે પગ કાપી નાખે, અને કોઈક ચાર તે સ્ત્રીના પગમાંથી કલું ન નીકળતું હોય તેથી તે કાપી નાખે; આ બનેનાં કાર્ય બાદ દષ્ટથી દેખનારને એક સરખા લાગે, પણ તેમાં આશયની બિનતા હતી, માટે તેના ફળમાં પણ અવશ્ય ફેર પડવાને. આમ ધર્મરૂપ સાધ્યબિન્દુ લક્ષમાં રાખી કરવામાં આવેલી દરેક ક્રિયા સંવરના કારણરૂપ થાય છે. જેમાં આ ગની તદ્દન શકયતા છે, તેવી વ્યકિયા
For Private And Personal Use Only