________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપતું નથી. પણ ત્રણે કાળમાં અવિચ્છિન્ન પ્રકાશ આપનાર આત્મસૂર્ય છે. તેને વાદળ ઘેરી શકતું નથી, તેને રાહુ હેરાન કરી શકતા નથી, તે સર્વદા પ્રકાશે છે, અનંત સૂર્ય કરતાં પણ તેને પ્રકાશ વિશેષ છે આપણે સર્વ વસ્તુ જોઈ શકીએ છીએ તે આત્માને જ પ્રતાપ છે.
વળી આત્મા અનેક ગુણેના આધાર ભૂત છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર વગેરે ગુણે રહેવાનું ભાજન આત્મા છે. તે ગુણે અને આત્માને અવિનાભાવી સંબંધ છે, આ મા ગુણ છે, જેમાં આ ગુણ રહેલા છે. તે ગુણે એક અપેક્ષાએ ગુણીનું સ્વરૂપ દર્શાવવામાં અત્યંત ઉપયોગી થાય છે. તે આત્મા જ્ઞાનગમ્ય છે. તેનું સ્વરૂપ જાણવાને ઉત્તમોત્તમ ઉપાય જ્ઞાન છે. આત્માનું સ્વરૂપ પીછાણવાને આત્મજ્ઞાનની જરૂર છે. ધાર્મિક ક્રિયાઓથી હદય શુદ્ધ થાય છે, અને હદય શુદ્ધિ એ જ્ઞાન મેળવવાનું ઉત્તમ સાધન છે, પણ કેવળ ધાર્મિક ક્રિયાથીજ આત્મ જ્ઞાન થશે એમ માની શકાય નહિ. સાધન અને સાધુ તરફ લક્ષ રાખી કરવામાં આવેલી ધાર્મિક ક્રિયા બહુજ ઉપયેગી નીવડે છે, પણ તેને જ કેવળ વળગી રહેવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે નહિ. વળી આત્માને આ લેકમાં નિરક્ષર કહેવામાં આવ્યો છે. તેને ભાવાર્થ એ છે કે આત્મા શબ્દાતીત છે. શબ્દો દ્વારા આત્મ સ્વરૂપનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તે પણ આત્મ સ્વરૂપનું જ્ઞાન તેથી થઈ શકે નહિ. કારણ કે તે સ્વરૂપને અનુભવ થઈ શકે, પણ તે શબ્દો દ્વારા કદાપિ દર્શાવી શકાય નહિ. શબ્દ દ્વારા તેને ઝાંખે
For Private And Personal Use Only