________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાસ આપી શકાય, પણ ખરૂં સ્વરૂપતે તેના અનુભવી
જ જાણી શકે. માટે તે શબ્દાતીત અથવા નિરક્ષર કહે. વાય છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને સ્વચ્છ છે, એ વિશેષ
ની સાર્થકતા આપણે ગયા લેકનું વિવેચન કરતાં વિચારી ગયા માટે તે સંબંધમાં વિશેષ નહિ લખતાં એટલું જ જણાવીશું કે જગતમાંની કેઈ પણ નિર્મળ વસ્તુ કરતાં પણ આમા અધિક નિર્મળ છે. સફટિકમણિ સદશ તે નિર્મળ છે. સ્ફટિકમણિની નીચે જે રંગ મુકવામાં આવ્યો હોય તેવું તે પ્રકાશે છે, તે જ રીતે આત્મામાં જે જે સમયે જેવા જેવા ભાવ ઉદ્દભવે છે, તે તે પ્રમાણે આત્માની વૈચિત્ર્યતા ભાસે છે, પણ ખરી રીતે તે તે ઉજવલ સ્વભાવને છે. આ કલેકમાં એક વિશેષણ એવું આપવામાં આવ્યું છે કે તે જડતીત છે. તેને અર્થ એ થાય છે કે તે જડની પેલી પાર છે. જડ વસ્તુની અસર જ્યાં સુધી પહેચે તે સ્થિતિની પણ પેલીવાર આત્મતત્વ રહેલું છે. જડવતુ આત્મા ઉપર પોતાની સત્તા ચલાવી શકે નહિ. છતાં અજ્ઞાનને લીધે આત્મા પિતાનું સ્વરૂપ ભુલી ગયે છે, અને જડવસ્તુને પિતાની માને છે. જ્યાં સુધી તે અ જ્ઞાન છે, અને તે અજ્ઞાનને લીધે જ્યાં સુધી જડવતુમાં મારાપણાનો ભાવ છે, ત્યાં સુધી તે વ્યવહારથી જડાતત કહેવાય નહિ, પણ જ્યારે આત્મા વિશેષ અનુભવ મેળવતે. જાય છે, અને કર્મફળને વિખેરી નાખે છે, ત્યારે તેને ભાન થાય છે કે આ જંડના તરગે તેના આત્મારૂપી ખડકને અસર કરવા સમર્થ થશે નહિ. તે જ વખતે તે વસ્તુતઃ
For Private And Personal Use Only