________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પુખ્તવયને થાય છે, અને પછી સંપૂર્ણ મનુષ્યવસ્થામાં આવે છે, છતાં તેનું શરીર તે તેનું તેજ છે. તે જ રીતે જીવ જુદી જુદી ગતિઓમાં પરિભ્રમણ કરે, અને તેથી તેના પર્યમાં ફેરફાર થાય છે, છતાં જીવ તરીકે તે નિત્ય છે. મનુષ્ય જ્યારે દેવ બને છે, ત્યારે મનુષ્ય તરીકેના પર્યાયને વિનાશ થાય છે અને દેવ તરીકેના પની ઉત્પત્તિ થાય છે, પણ જીવ તરીકે તે નિત્યરહે છે. આ રીતે પર્યાની ઉત્પત્તિ અને વિનાશને વિચા૨ કરતાં જીવ અનિત્ય ઠરે છે, છતાં સર્વ અવસ્થામાં તે એકજ રહેવાથી તે નિત્યજ રહે છે. આ રીતે આત્મા નિત્યાનિત્ય કહેવાય છે. કેવળ નિત્ય કેવળ અનિત્ય માનવામાં શાશા દૂષણે આપે છે, તે સવિસ્તર જણાવવાને અત્ર પ્રસંગ નથી, છતાં હુંકાણમાં એટલું જણાવવું બસ થશે. કે આત્માને કેવળ નિત્ય માનવામાં આવે તો તે મુક્ત ઠરે. છે. અને બંધ મોક્ષ કલ્પનારૂપ કરે છે. જે એ મત સ્વીકારીએ તે પછી ધર્મ શાસ્ત્રોએ બતાવેલા યમ નિયમ, તપ, પૂજા વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે, જ્યારે આત્મા નિ. ત્ય છે, મુક્ત છે, તે પછી બંધમાંથી મુક્ત કરવાને કરવામાં આવતી ક્રિયાઓનું પ્રજન ક્યાં રહ્યું ? તેપછી ઉપદેશની પણ શી જરૂર? ઉપદેશ અને ક્રિયા વગેરે નિરર્થક ન. થાય તે માટે આત્માને અનિત્ય પણ માન જોઈએ. આ. રીતે આત્મા નિત્યાનિત્ય ઠરે છે. વળી આમા આનંદ સ્વરૂપી છે. આત્માને શાસ્ત્રમાં ચિદાનંદરૂપ કહે છે. એટલે તે જ્ઞાનવરૂપી તેમજ આનંદ સ્વરૂવી છે. આનંદતે પણ તે સ્વા
For Private And Personal Use Only