________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીએ તે રેતને હલકી અને ભારે એવા એ તદ્ન વિ. રાયી ધર્મા લાગુ પાડી શકીએ. રેત આટા કરતાં ભારે છે, માટે આટાની અપેક્ષાએ ભારે એ વિશેષણ લગાડી શકાય, તેમજ તેજ રત સીસાની અપેક્ષાએ હુલકી છે, માટે સીસાના વિચાર કરતાં રતને હલકી કહી શકાય. વ્યવહારમાં આપણે ગમે તે વિશેષણ લગાડી શકીએ, પણ નિશ્ચયથી વિચાર કરીએ તે બીજા ગુણા અથવા ધમાના અનાદર કરી ફકત એકજ ધર્મની પ્રાધાન્યતા કહેવી તે અસત્ય કહેવાય છે. કાઈ ગાય લાલ હોય અને તેમાં કેટલાક કાળા છાંટા હાય; હવે તે ગાયને કેવલ લાલ કહેવી તે નયાભાસ છે. કાળાશ તેમાં ગાણપણે હાય, છતાં તે ગાણુ ધર્મના પણ અ પલાપ કરવા તે મિથ્યાત્વ છે. આ રીતે અનેક રીતે વસ્તુને તપાસવી, અને એકજ અપેક્ષાને વળગી ન રહેવુ. તેને સ્યાદ્નાદ અથવા અનેકાંતવાદ કહે છે.
આ રીતે સ્યાદ્વાદના સ્વરૂપના ટુંક ખ્યાલ આપી હુવે તે દૃષ્ટિથી આત્મ તત્ત્વ કેવુ' ભાસે છે તે વિચારીએ. જુદા જુદા ધર્મ શસ્ત્ર તેનું સ્વરૂપ કેવું પ્રતિપાદન કરે છે, એ અત્રે આપણે વિચારવા માગતા નથી, પણ સ્યાદ્વાદ દષ્ટિથી તે વિચારીશું. સ્યાદ્વાદ મત પ્રમાણે આત્મા નિત્યાનિત્ય છે. નિત્ય અને અનિત્ય એ છે વિરોધી ધમા છે; છતાં એકજ આત્મ તત્ત્વમાં તે જુદી જુદી અપેક્ષાથી રહેલા છે, એ વિ ચાર વિસરવે જોઇતા નથી. દ્રવ્યાયિક નયથી આત્મા નિત્ય છે; પણ પાયાથિક નયની અપેક્ષાએ તે અનિત્ય છે, જેમ જન્મે છે ત્યારે ખાળક હોય છે, પછી યુવાન થાય છે,
For Private And Personal Use Only