________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ત્રીજું આકાશાસ્તિ કાય દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય લોક તથા અલેકમાં સર્વ વ્યાપી છે. ઉપવા મા આવકાશ આપ, એજ આકાશનું લક્ષણ છે. સર્વ દ્રવ્યને રહે વાની સ્થિતિ આકાશમાં છે. લેકકાશમાં પંચ દ્રવ્ય છે. એકાકાશમાં ફકત એક આકાશ દ્રવ્ય છે. આકાશના અનંત પ્રદેશ છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. અલ કાકાશના અનંત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય અનાદિ અનંત છે. આકાશ અરૂપી છે. અજીવ છે, તેના પ્રતિ પ્રદેશે સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આકાશ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પરિણમતું નથી.
ચેથું દ્રવ્ય પુલાસ્તિકાય છે. પુલ પરમાણુ અનંત છે, પ્રત્યેક પરમાણુંમાં એક વર્ણ. એક ગંધ, એક રસ, અને બે સ્પર્શ રહ્યા હોય છે. બે પરમાણુ ભેગા થાય ત્યારે દ્રયણુક કહેવાય છે. ત્રણ પરમાણુ ભેગા થાય, ત્યારે ત્રયક સ્કંધ થાય છે. અસંખ્ય પરમાણુ ભેગા થાય ત્યારે અસંખ્યાતાણુક કહેવાય છે. અનંત પરમાણુ ભેગા થાય, ત્યારે અનંતક પુલ સ્કંધ કહેવાય છે. આઠ કર્મની વર્ગણાઓ પણ આવા પુકલ પરમાણુઓથી બની હેય છે. ઔદારીક વર્ગણામાં અનંત પરમાણુઓ હોય છે. તેનાથી વિકીય વર્ગણામાં અનંત પરમાણુ વિશેષ હોય છે. તેના કરતાં આહારક વર્ગણામાં અનંત પરમાણુ વિશેષાધિક છે.
For Private And Personal Use Only