________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ૪. ધર્મકથાનુગ. એ ચાર અનુગમાં દ્રવ્યાનુરોગ તે તત્ત્વમય છે. શ્રી તીર્થકર પ્રભુએ દ્રવ્ય ગુણ પર્યાયનું
સ્વરૂપ કહ્યું છે, તે દ્રવ્યની વ્યાખ્યા આવે છે. પદ્રવ્યને વિચાર અમ્મદીય પદ્રવ્ય વિચાર નામના ગ્રંથમાંથી જોઈ લે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, કાલ, અને અને જીવ દ્રવ્ય, એ ષડૂ દ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય ચલણ સહાય ગુણ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે. કાકાશ વ્યાપી ધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્મારિતકાયના પ્રતિ પ્રદેશ ચલણ સહાયગુણ રહ્યો છે. ધર્માસ્તિકાય અનાદિકાળથી છે. અને અનંત છે. ધર્માસ્તિકાય અરૂપી છે, અજીવ છે. પરદ્રવ્યમાં પરિણમતું નથી. ધર્મ સ્તિકાયના પ્રતિ પ્રદેશ અનંત ગુણ પર્યાય છે. ધર્માસ્તિકાયમાં સમયે સમયે એકેક પ્રદેશમાં ઉત્પાદવ્યયની વર્તના થઈ રહી છે, તે જ પ્રમાણે અધર્માસ્તિકાય દ્રવ્ય પણ અસંખ્ય પ્રદેશ છે, થિર થવામાં સહાચ્ય આપવી, એ ગુણ અધર્મ દ્રવ્યને છે. અધર્મરિતકાય દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. તેના પ્રતિ પ્રદેશ અનંત ગુણ પચાય રહ્યા છે. અધર્મસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી છે, અને અનંત છે. જે વસ્તુ અનાદિ અનંત છે, તેને અન્ય કોઇ કતી નથી. અધર્મસ્તિકાય અરૂપી છે, તથા અજીવ છે. તે પર દ્રવ્યમાં પરિણમતું નથી; અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં સમયે સમયે અનંત ઉપાદવ્યયની વર્તન થયા કરે છે.
For Private And Personal Use Only