________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮)
થા. सेयंवरो वा आसंवरो वा, बुद्धो वा अब अन्नो वा ॥ समभावभावि अप्पा, लहइ मुख्खं न संदेहो ॥ १ ॥
ભાવાર્થ–વેતાંબર હોય, દિગંબર હોય, અથવા બુદ્ધ હોય, અને કઈ વેદાન્તી વિગેરે હોય, પણ જ્યારે આમા સમભાવથી આત્માને ભાવીત કરે, ત્યારે મુકિત પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી.
પ્રશ્ન-જ્યારે સમભાવ આવે ત્યારે મુક્તિ થાય, તે સમભાવ તે દરેક દર્શનમાં ધર્મમાં આવે, આવી શકે, ત્યારે જૈનદર્શનની મહત્વતા શાથી માનવી.
ઉત્તર –હે ભવ્ય ! શ્રવણ કર. મુખ્યતાએ જીનેશ્વરનાં વચન સમજ્યા વિના, અને તે પ્રમાણે વર્તી વિના સમભાવ આવી શકતા નથી. સમ્યગજ્ઞાન જીનેશ્વર ભગવંતે પ્રરૂપ્યું છે, માટે તેની શ્રદ્ધા કરવાથી આત્મા સ્વરવરૂપ ઓળખે છે. અન્ય મતોમાં સમ્યગ જ્ઞાનના અભાવે, એકાંત વસ્તુની પ્રતીતિ થવાથી, કદાગ્રહ તથા મિથ્યા આચરણ આચરી શકાય છે. માટે સમભાવની પ્રાપ્તિ અન્ય દર્શનમાં પ્રાપ્ત થવી પ્રાયઃ દુર્લભ છે, સમ્યકત્વવિના સમભાવ આવવો દુર્લભ છે. રાગ દ્વેષ રહીત આત્માની સમભાવ પરિણતિથવામાં, જીનેશ્વરનાં વચન પુષ્ટાલંબન છે. જીનેશ્વરનું
For Private And Personal Use Only