________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
ભગવંતે પણ કહ્યું છે કે અન્યલિગે અર્થાત્ અન્ય વેષે પણ મુક્તિ જીવાની થાય છે, તેથી તે અન્યલિંગ સિદ્ધ કહેવાય છે, ત્યારે તમે એકાંત પેાતાના દર્શનનું લિંગ પ્રતિપાંદન કરે છે.
ઉત્તર---હે ભવ્ય ! હજી તને સદ્ગુરૂને સમાગમ થચેા નથી, તે સદ્ગુરૂના સમાગમ થયા હોત, તે શકા રહેત નહી”. સ્વલિંગે સિદ્ધ થાય તે તો રાજમાર્ગ છે, અને અન્યલિંગે સિદ્ધ થાય, તેતા છીડીને માર્ગ છે. માટે અત્ર રાજમાર્ગરૂપ સ્વલિંગની મુખ્યતા સ્થાપન કરી છે. અન્યલિંગે સિદ્ધ થાય, તે પણ નિય સમકિત તથા નિય ચારિત્ર વિના મુક્તિ થતી નથી. પૂર્વભવમાં જૈનતત્ત્વના અભ્યાસ કર્યા હોય, અને પશ્ચાત્ કર્મયાગે મિથ્યાત્વ કુળમાં જન્મ થાય, ત્યાં વૈરાગ્યાદિથી વલ્કલચીરીની પેઠે અન્ય તાપસાદ્રિ લિંગ ધારણ કરે, અને પશ્ચાત્ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ સ્મરણમાં આવે અને તેથી જીનતત્ત્વનુ શ્રદ્ધાન થાય, અને પશ્ચાત્ અંતરંગમાં સમ્યગ્ આત્મતત્ત્વનું ધ્યાન થાય; અને તેથી ચારિત્રમેહનીયના ક્ષય કરી, અંતરગચારિત્ર પ્રાપ્ત કરી મુક્તિપદ પામે. આવા બનાવામાં અન્યલિંગ છતાં પણ અંતરંગ સમિકત તેઓને પ્રગટવાથી સમભાવ આવે છે. અને તેથી પરમપદની પ્રાપ્તિ થાય છે, તેથી શાસ્ત્રકારોએ પક્ષપાત રહીત પ્રતિપાદન કર્યું છે કે~~
For Private And Personal Use Only