________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના સર્વ ધર્મવાળાઓના વેષને અપ્રામાણીક ગણે છે, તેમાં તમારે પક્ષપાત નજરે દેખાય છે.
ઉત્તરઅમે જરા માત્ર પણ પક્ષપાત રાખતા નથી, અમને શ્રીવીર પ્રભુ ઉપર રાગ નથી, તેમ અન્ય ઉપર દ્વેષ પણ નથી. જેના વચનમાં વિસંવાદ હોય, અને જેનાં વચન અનુભવમાં સત્ય ભાસે, તેવા પુરૂષનો કથિત ધર્મ અને મારે માન્ય છે, અને તેવા સર્વજ્ઞ ભગવંતે કથેલાં ધમે વેષમાં વિશેષ પ્રામાણ્યતા છે અને તેમના કથનાનુસાર ચાલવાથી સર્વ જીવનું કલ્યાણ થાય છે, માટે તેવા શ્રીવીતરાગ સર્વજ્ઞ વચન વિના, અન્ય વચનમાં સવશે સત્યતા નથી, માટે અન્ય કદાગ્રહી, અને વિપક્ષ સ્થાપનમાંજ રસીક થઈ જગત્ના જીને કુપંથમાં લગાવે છે, તેથી તે માનનીય નથી.
પ્રશ્ન–સર્વજ્ઞ વીતરાગનાં વચન શાથી પ્રમાણ માનવાં?
ઉત્તર–યુક્તિ અને અનુભવમાં આવે છે તેથી. તથા વળી શ્રીવીતરાગ પ્રભુનાં વચન અલાયમાન હતાં નથી, તેથી તે પ્રમાણ છે. અન્યના શાસ્ત્રમાં હિંસા, યજ્ઞ, વિગેરે પાપકૃત્યનું પ્રતિપાદન કર્યું છે. સર્વ વસ્તુઓનું સ્વરૂપ સાત નથી વર્ણવ્યું છે. દરેક વસ્તુનું સ્વરૂપ નયેની અપેક્ષાથી એવી રીતે સ્થાપન કર્યું છે, કે જેમાં જરા માત્ર શંકા રહે નહીં.
પ્રશ્ન—જ્યારે તમે જીનેશ્વર કથિત વેષનું પ્રતિપાદન કરે છે, અને તેથી ધર્મસાધના થાય છે, ત્યારે તમારા
For Private And Personal Use Only