________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ.
વિના મહેનતે અભિમાનીએ મેટાઈ તથા પ્રસિદ્ધિ માટે પ્રયાસ કરવામાં બાકી રાખતા નથી. તેઓ મનમાં એમ માને છે કે સત્તા અને સંપત્તિથી પિતાને મેટાઈ અને પ્રસિદ્ધિ મળશે.
પરંતુ પરોપકાર કરવામાં પાછળ રહે તે મહત્તા કયાંથી મળે?
પાસે હોય અને મમતાને ત્યાગ કરી પરેપકાર કરવામાં આવે તે વિના મહેનતે મેટાઈ અને પ્રસિદ્ધિ મળે તેમજ અભિમાનને ત્યાગ કરવાથી માન, સન્માન અને મહત્તા સ્વંય આવીને ભેટે છે.
તુંડે તુંડે.... કેટલાય એવી પ્રકૃતિનાં હોય છે કે પિતાની સાહ્યબી કરતાં બીજાની વધુ સાહ્યબી જેઈને હૈયામાં બળ્યા કરે છે. અને તેને જ શોક કરીને પોતાની સંપત્તિને તે જોઈએ તેવો સદુપગ કરી શકતું નથી.
બીજા જે સાહ્યબી જોઈને ખુશી થાય છે તે પ્રમાદ લાવે છે તેઓ પિતાની પાસે સાહ્યબી ન હોય તે પણ આનંદમાં રહે છે અને ધાર્મિક કાર્યોને સુંદર રીતે કરે છે.
For Private And Personal Use Only