________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર
તિ
અવળે રસ્તે મેહથી ઉત્પન્ન થએલ મિથ્યાત્વ પ્રકૃતિએ વિકાર અને નિર્વિકારને મુકાબલે કરવા દીધું નથી અને માનવીને વિકારી માર્ગે ચઢાવી દીધું છે. આવા ઉન્માર્ગે વિકાસ ક્યાંથી થાય?
દર્દ અને દવા શક્તિ મેળવવા મનુષ્ય ઘણુ પ્રયાસ કરે છે. વેદની પાસે જુદા જુદા પ્રકારની દવાઓ લે છે પરંતુ કલેશ-કંકાઅને ત્યાગ કરતાં નથી. અને સાધનામાં જ સુખ માની તેમાં આસક્ત બને છે. આથી તેમને દવા લાગુ પડતી નથી.
ઓળખાણ કર આશા–તૃષ્ણા અને સ્વચ્છંદતાએ આધિ-વ્યાધિ અને ઉપાધિના અસહ્ય કષ્ટ ઊભાં કર્યા છે. આના લીધે સત્ય સત્તા ગુણ સમૃદ્ધિની ઓળખ થતી નથી.
જ્યારે આશા-તૃષ્ણ અને સ્વચ્છંદતા વગેરેને ત્યાગ કરવામાં આવશે અને અનંત જ્ઞાનીની આજ્ઞા મુજબ વર્તવામાં આવશે ત્યારે જ પિતાના સત્ય સ્વરૂપની ઓળખાણ થશે.
આથી એ આશા-તૃષ્ણા અને સ્વચ્છંદતાને ત્યાગ કરવા માટે પ્રયાસ કરવાની ઘણી જરૂર છે.
For Private And Personal Use Only