________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આંતર તિ
કલ્પનાનાં કાંટા બનાવટી અને કલ્પેલ સુખ અને દુઃખને કાંટા રૂપે જાણવા જોઈએ. કારણ તેનાથી વારે વારે પીડા થાય છે.
જ્યારે અસલ અને સત્ય સુખમાં પીડા થતી નથી. માટે તેવા કલ્પેલા સુખ-દુઃખરૂપી કાંટાઓને દૂર કરવા પ્રયત્ન કરવું જોઈએ.
મૂર્ખ શ્રીમંત
જ્યાં સુધી જીવાત્માઓ સકર્મક છે મતલબ કે જ્યાં સુધી તેઓ ક્રિયાઓ કરે છે ત્યાં સુધી તેમને પરાધીનતા ઓછી કે વધતી તરતમભાવે હોય છે. પછી ભલેને શ્રીમંત અને અધિકારીએ પિતાની સત્તા અને સંપત્તિના આધારે પિતાને સ્વાધીન માનતા હોય પરંતુ તે તેમની જમણુ છે. એ તેમનું અજ્ઞાન છે.
જીવતાં મડદાં જે માણસે મન-વચન અને કાયાથી ખરાબ કામને કરે છે ને તેવું જ જીવન પસાર કરે છે તેઓ જીવતાં છતાં મરેલાં છે. જીવતાં માણસે તે તે જ છે કે જેઓ સાદાકરનું સદાય પાલન કરે છે.
For Private And Personal Use Only