________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતરે ન્યાવિ ઘેરાયેલાં વાદળી આકાશમાં વાદળો ઘેરાયેલાં હોય છે ત્યારે દુટિંન કહેવાય છે. અને જ્યારે વાદળાં ખસી જતાં સૂર્યને પ્રકાશ. આવે છે ત્યારે તેને સુદિન ગણવામાં આવે છે. પરંતુ જ્ઞાનીઓ તે સુદિન તેને જ ગણે છે કે માનવી જે દિવસે સુકૃત્ય કરે, સદાચારને સેવે પછી ભલેને તે દિવસે સૂર્યને પ્રકાશ હોય કે વાદળો ઘેરાયા હેય માટે સદાય સદાચાર સેવીને દરેક દિવસને સુદિન બનાવે.
અંધકારની અથડામણ આત્માના ગુણે વિના આ સંસારમાં સત્ય સુખ અને શાંતિને ઉપાય સૂઝતું નથી. અને તેથી મેહરૂપી અંધકારમાં અટવાવું પડે છે. આ મેહરૂપી અંધકારને દૂર કરવા સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્ર રૂપી સૂર્યના પ્રકાશની જરૂર છે.
દી ઝગમગ થાય માટીના દીવા જ્યાં સુધી તેના કેડિયામાં તેલ હોય ત્યાં સુધી અંધકારને દૂર કરે છે. પરંતુ તેલ ખૂટતાં જ તે બુઝાઈ જાય છે. પરંતુ જ્ઞાનરૂપી દી તે કદી બુઝાતું નથી. તેમજ તેને માટે તેલની પણ જરૂર પડતી નથી. આ સત્ય. દીપ પટાવાની જરૂર છે. આ દીપકથી મેહરૂપી અંધકાર દૂર થઈ જાય છે.
For Private And Personal Use Only