________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
ર૭ પુણ્ય સરખું નથી શ્રીમતે વાયદોને વેપાર કરતાં ભાગ્યદયે જ કમાય છે. કોઈ વખતે તેમાં નુકશાની જાય છે તેને તેઓ પહોંચી વળે છે. પરંતુ તેમનું જોઈને સાધારણ માનવી એ વેપાર કરે તે નુકશાનીમાં જ ઉતરે ને ? - આમ શક્તિ વિના બીજાની હરિફાઈ કરવામાં નુકશાન થવાને પ્રસંગ આવે છે. માટે સરખે સરખા સાથે જ હરિફાઈમાં ઉતરવું જોઈએ છતાં પણ દરેકનું પુણ્ય સરખું હોતું નથી.
પહેલી પવિત્રતા સત્ય વિવેક અને વિચારથી મન-વચન અને કાયાની શુદ્ધિ થાય છે. અને તે સર્વે પવિત્ર બને છે. પરંતુ ફક્ત પાણીથી પવિત્ર થવાતું નથી. પવિત્ર બન્યા પછી કરેલી સર્વ ધર્મ ક્રિયાઓ સફળ થાય છે.
એક જ ઉપાય પ્રશમતા ધારણ કર્યા વિના સહનતા આવતી જ નથી અને સહનતા આવ્યા સિવાય સમતા આવતી નથી. વિનેને સંકટને હઠાવવા સહનતા સિવાય અપાય છે જ નહિ.
For Private And Personal Use Only