________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ વિચાર કરજે સંસાર સાગરમાંથી સદ્ગુણીરૂપી અમૃત લેવાય છે અને વિષય-કષાયના વિકારરૂપી વિષ પણ લેવાય છે. તમારે અમૃત લેવું છે કે વિષ, તેને વિવેકપૂર્વક વિચાર કરજે.
અમૃત જે લેવું હોય તે વિષરૂપી કેઈના દોષોને જોઈને તેને હૈયામાં ધારણ કરશે નહિ. પરંતુ આ માટે તમારા આત્મામાં રહેલાં સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્રને બહાર લાવે અને પવિત્ર બને.
ભેદ રેખા દોષિતના દેને જેવા સરળ છે. પણ તે પ્રત્યે મધ્યસ્વભાવ કેળવે મુશ્કેલ છે. પરંતુ જે માનવીને આત્માના ગુણેનું અને પુદ્ગલેનું ભેદ જ્ઞાન થાય તે રાગ-દ્વેષરૂપી દો જરૂરથી દૂર કરી શકાય.
લાડુ અને લલના આત્મિક ગુણે સિવાય દુનિયામાં જે ગુણે-આબરૂ, પ્રતિષ્ઠા, સત્કાર અને સન્માન–તે પુર્યોદયના પુદ્ગલને પ્રભાવ છે.
આ પુદ્ગલેને એ સ્વભાવ છે કે પુણ્ય હોય ત્યાં સુધી અનુકૂળતા આપે અને પુણ્ય ન હોય ત્યારે પ્રતિકૂળતા આપે. એવા સમયે મધ્યસ્થતા આવે તે સભ્ય દર્શન–જ્ઞાન અને ચારિત્રના મેગે આત્મસાક્ષાત્કાર થાય અને સઘળી ચિંતાઓ નષ્ટ થાય. આ મધ્યસ્થભાવ કેળવવા શ્રદ્ધાપૂર્વક પ્રયાસ કરી જરૂરી છે.
For Private And Personal Use Only