________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
સરીતાનો સંદેશ જગતમાં મુસાફરી કરનાર માનવી ! મુસાફરીના માર્ગમાં તને તરસ લાગતાં તેને શાંત કરવા માટે માર્ગમાં આવતી નદીના મીઠા જળ પીને તે તારી તૃષા જરૂર શાંત કરી હશે. પરંતુ એ નદીઓ કેવાં કેવાં કષ્ટો સહન કર્યા હશે તેને પણ તું જરા વિચાર કરજે.
કેઈએ આવીને તેના ખળામાં વસ્ત્ર વાસણ અને શરીરના મેલને દૂર કરવાં તેમાં સ્નાન પણ કર્યું હશે. કેટલાક લોકેએ ત્યાં આવીને કૂદાકૂદ પણ કરી હશે અને મજા પણ માણું હશે. તેથી નદીને પીડા પણ થઈ જ હશે. છતાં પણ લેકેની મલિનતાને તેણે પેટમાં સમાવી છે. અને દુઃખ દેનાર પ્રત્યે તેણે કદી રોષ નથી કર્યો.
આ નદી અનેક પર્વત-ટેકરાઓ વગેરે વિનેને પાર કરીને પણ પોતાના જીવન કાર્યને ચાલુ જ રાખે છે.
માટે હે મુસાફર! વિચાર અને વિવેક કરીને તેના ગુણેને તું જીવનમાં ઉતારીને તારી જિંદગીને વધુને વધુ ઉજજવળ બનાવજે.
સાગર ખારો ને લહેર મીઠી. સમુદ્ર આરે છે છતાં તેમાં મીઠા મહેરામણની લહેર આવે છે. તેમાં મણિ મેતીઓ પણ રહેલા છે. મરજીવાઓ તેમાં ડૂબકી મારીને ભેગા કરે છે. ત્યારે માનવવી ફરજ છે કે ખારા પાણીને ત્યાગ કરીને મીઠા મહેરામણની લહેણું માન કરવું જોઈએ અને અનાદિકાળની તૃષ્ણની પીડાને મટાડવી જોઈએ.
For Private And Personal Use Only