________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ અનાદિને બિમાર ભવ રેગ અનાદિ કાળને છે. તેને સારે ને ઉમદા તે ભ્રમણમાં પડેલે જ માને. જ્ઞાનીઓ તે તેવા રંગને હઠાવવા તેમજ તેને મૂળમાંથી દૂર કરવાના જ ઉપાયે લેતા હોય છે અને તેમ કરીને સર્વથા દુઃખથી તેઓ મુક્ત બને છે.
ભળતુ–સળતું ભવાનંદી અને પુદ્ગલાનંદી આત્માઓ સાચા સુખની ભ્રમણમાં ભૂલા પડેલા હોવાથી દુઃખના સાધનને સુખના સાધને માનીને એકઠા કરતા રહે છે. પરંતુ તેથી તેઓને સાચુ સુખ મળતું નથી.
નજરની ભૂલ માનવીની નજર માત્ર શરીર પર પડતી હોવાથી તેને રાગ દ્વેષ થાય છે. શરીર જે રૂપાળું હોય છે તે તેના પર રાગ થાય છે અને એ જ શરીર જે કદરૂપુ અને કાળુ હોય છે તે તે તરફ અણગમો થાય છે, પરંતુ માનવી જે તેની નજર શરીરની અંદર રહેલા આત્મા તરફ કરે અને તેના ગુણને જુવે તે તેને કદી અણગમે થાય નહિ. આપણે જાણીએ છીએ કે જે શરીરમાંથી આત્મા ચાલ્યા ગયે હોય છે તેના તરફ કઈ રાગ રાખતું નથી. તેના શરીરને બાળીને ર્ભસ્મ જ કરવામાં આવે છે. માટે માનવીએ હશેશા આત્માના ગુણે તરફ જ નજર રાખવી જોઈએ.
For Private And Personal Use Only