________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
આંતર તિ આત્માની ઓળખ જે પિતાના આત્માને રીતસર ઓળખે છે તે જ બીજાના આત્માને ઓળખી શકે છે. જેણે પોતાના આત્માને જ ઓળખે નથી પછી એ બીજાના આત્માને ક્યાંથી ઓળખી શકવાને છે?
પિતાના આત્માને ઓળખે ક્યારે કહેવાય? પિતાને સુખ પ્રિય છે તે મુજબ બીજા ને પણ સુખ પ્રિય છે, દુઃખો કેઈને વહાલા નથી. આમ જે સમ્યમ્ રીતે સમજે છે તેને પિતાના આત્માની પ્રાથમિક ઓળખાણ થઈ છે એમ કહી શકાય.
આવા અંતરાત્માઓ કર્મની સત્તાને તેડવા તત્પર બને છે. એટલે અઢાર પાપસ્થાનક ને દુઃખના કારણે માની તેનાથી બને તેટલા દૂર રહેવા પ્રયત્ન કરે છે. પાપ સ્થાનકોના સેવનથી અંતે પીડાનો પાર રહેતું નથી, એવા જીવનને જીવવું તે દુઃખને આમંત્રણ આપવા બરાબર છે.
સૌને વહાલું સુખ જ્ઞાની હોય કે અજ્ઞાની પણ દરેકને સુખની અભિલાષા હોય છે. કારણે સુખ સૌને વહાલું છે. પરંતુ જ્ઞાનીઓ સત્ય ધર્મની આરાધનામાં સુખ માને છે. જ્યારે અજ્ઞાનીઓ ભૌતિક સાધનોમાં સુખ માને છે. સત્યધર્મનું સુખ શાશ્વત છે. જ્યારે આ ભૌતિક સુખ ક્ષણભંગુર છે. માટે શાશ્વત સુખ માટે ભવ્ય ! પ્રયત્ન કરે.
For Private And Personal Use Only