________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
જીવન - મેજમજા = દુખ જેના વાણી-વિચાર અને વર્તન જિનેશ્વરની આજ્ઞા મુજબ છે તેના ઉપર આફત આવતી નથી અને આવી હોય તો તેને ખસી જતાં વિલંબ થતો નથી. માટે સુખી થવાને માર્ગ આચાર-વિચાર અને ઉચારની શુદ્ધિમાં સમાચેલે છે. નહિ કે માલ મલીદા ખાઈને વિલાસમાં ડૂબી મજ મજા કરવાને. - આચાર-વિચાર ને ઉચ્ચાર શુદ્ધ કરવા તે ધર્મ કહેવાય. જ્યાં આ ત્રણેયની શુદ્ધિ થતી નથી તે અધર્મ કહેવાય.
જીવનનું ધ્યેય જીવન પ્રવૃત્તિનું કેન્દ્ર છે. જીવનમાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ હોય જ છે. તમારી દરેક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેનાથી તમને સ્વાધીનતા પ્રાપ્ત થાય. તેવી પ્રવૃત્તિ જે ન થાય તે દુઃખની પરંપરાને ઊભી કરે છે.
પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે સ્ત્ર અને પરને તે સત્યાનંદ અર્પણ કરે. પોતાના આત્માને જીવવા લાયક બનાવે.
સાચી ને સાચી રીતે જીવવા માટે જે પ્રવૃત્તિ કરે છે તેનામાં દાનવતા હોતી નથી. ત્યારે જ અન્ય પ્રાણીઓ પિતાના જીવનને જીવી શકે છે અને સહારે આપવા સમર્થ બને છે. આવા જીવનનું અંતિમ ધ્યેય, સર્વથા કર્મોને ત્યાગ કરી મોક્ષ મેળવવાનું હોવું જોઈએ.
For Private And Personal Use Only