________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
આંતર જ્યોતિ સતત ચેકી રાખે - તાત્વિક નિશ્ચય દષ્ટિ દ્વારા વિચાર કરીને જ્ઞાનીઓ કહે છે કે આત્મા તે પવિત્ર છે. પરંતુ રાગ-દ્વેષના લીધે તે મલીન બને છે. આ મલિનતાને દૂર કરવામાં આવે છે. આત્મા પુનઃ પવિત્ર બની શકે છે.
અહિંસા, સંયમ, તપ–જપાદિકથી આત્માને પવિત્ર બનાવી શકાય છે. આત્માની પવિત્રતાના બરાબર ખ્યાલ રાખી જે મનુષ્ય દુનિયાના વિષમાં લંપટ બનતા નથી અને કષાયેના વિચારમાં ફસાતાં નથી તેઓ જ આત્મિક ગુણેને પ્રાપ્ત કરીને આત્માને પવિત્ર બનાવવા સફળ થાય છે.
વ્યાવહારિક કાર્યો કરતાં આત્માને પવિત્ર કરવા સતત જાગૃત રહેવું તે જરૂરી છે. આ જાગૃતિ જો સતત રાખવામાં ન આવે તે માનવી તેનું મૂળ કર્તવ્ય ભૂલીને વિકારોમાં ફસાઈ પડે અને આત્મા વધુ મલિન બને.
ઘડીને ય વિશ્વાસ નહિ આયુષ્ય તે નદીના પ્રવાહની માફક વ્યતીત થાય છે. સંધ્યાના રંગની માફક ક્ષીણ થાય છે અને સામે આવી રહેલ અંધકારની જેમ હાજર થાય છે. તે કોઈની શરમ રાખતું નથી, કે હજી આ ભાઈ નાના છે. તમને ઘણું કામ, કરવાની ઉમેદ છે માટે લાવ થંભી જઉં. પણ તે એક ઘડી ય ભશે નહિ. અને મનની મનમાં રહી જશે. માટે ઘડીયને વિશ્વાસ કરશે નહિ.
For Private And Personal Use Only