________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૧૭ આત્માના આવરણ સમ્યગજ્ઞાનીઓ કર્મ માત્રને ભાવ રેગ કહે છે તેનાથી શારીરિક અને માનસિક રોગ અનાદિ કાળથી માણસને લાગુ પડયા છે. આ શારીરિક રોગને વ્યાધિ કહેવાય છે અને માનસિક રોગને આધિ કહેવાય છે. આ બન્ને ય રોગો કર્મની ઉપાધિને લીધે વળગ્યા છે.
આ ભાવ રેગોને દૂર કરવા ઉપાય કરવા જોઈએ. તે ક્યારે કરશે ? આ કમેની ચીકાશ ઘણી જ ગાઢ અને ગુપિલ છે. તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તે તે જરૂરથી દૂર થાય.
રાગ-દ્વેષ, કામ-ક્રોધ-મહાદિ ચીકાશ છે. આની સાથે કર્મોને સંબંધ છે. આત્માની સાથે જે તેને સીધો સંબંધ હેત, તે દૂર કરી શકાત જ નહિ. પરંતુ તેમ નથી. આથી જ અનંત જ્ઞાનીઓ કર્મોના સંબંધને કાપીને અક્ષયપદને પામ્યા છે અને પામશે.
આત્મા તે જ્ઞાતા-દષ્ટા સ્વભાવવાળો છે. પરંતુ તેના ઉપર રાગ-દ્વેષ વગેરેની ચીકાશ લાગવાથી તે મલીન બન્યા છે. આ મલિનતાને દૂર કરવા માટે વિવેક કરવાની જરૂર છે. જ્ઞાન-ધ્યાન વગેરે કરવાં જરૂરી છે. ભલે અનાદિકાળથી આ ચીકાશ આત્માને વળગેલી હોય, પરંતુ તેને આ પ્રમાણે જ્ઞાન ધ્યાનથી સાફ કરવામાં આવે તો આત્મા જરૂરથી નિર્મળ અને પવિત્ર બની શકે છે.
For Private And Personal Use Only