________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આંતર જ્યોતિ
છેટામેટા અને ડેટા
દુન્યવી સત્તા, સંપત્તિ–બળ વિગેરે મેળવી મેટા કહેવાય અને જન સમુદાય તેને નમન કરે છે. પણ પ્રાપ્ત થયેલ સત્તા વિગેરેનું રક્ષણ, પિષણ કરવા જાય–નીતિપૂર્વક આચરણ કરે નહિ, તે તે છેટા કહેવાય. પછી મનમાં ગોટા વળે.
મનમાં ગેટ વળે તેની દવા મળવી દુષ્કર છે. છતાં ખંત ને ધીરજ રાખી પ્રયત્ન કરવાથી એની દવા પણ મળી રહેશે. પછી એવા બેટા વળશે નહિ.
મનના ગોટાની દવા એ છે કે સારા સંગે મેળવી, ખરાબ સંકલ્પ વિકલ્પને દૂર કરીને સદ્દગુરુએ દર્શાવેલ શુભ સંકલ્પ કરે. અને તેઓના સદુપદેશને જીવનમાં ઉતારે. સારું અને સંસ્કારી જીવન થવાથી પછી મનમાં ગોટા વળશે નહિ.
- આ ગોટા એટલે ખરાબમાં ખરાબ ચિંતાઓ કરવી, ઈર્ષ્યા અને ઝેર કરવું, પૂરતી તપાસ કર્યા વિના શંકા કરવી. આ બધું શુભ સંસ્કાર વિના ખસશે નહિ.
સારા સંસ્કારે જ છેટાને મોટા બનાવે છે. અને મનના ઉપર જણાવેલ ગોટાઓને દૂર કરી શકે છે.
સારા સંસ્કાર જ સુખશાતાના કારણભૂત છે. તે વાણ અને વર્તનને શુભ બનાવે છે. અત્યાર સુધી તમે કેવા સંસ્કાર કેળવ્યા છે તેને વિચાર કરો. અને ખરાબ સંસ્કાર કેળવ્યા હોય, તે તે દૂર કરી સારા સંસ્કાર મેળવે.
For Private And Personal Use Only