________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૩ તમારે સુખી થવું છે? પર પ્રાણુઓને દુ:ખ આપવું છે અને તેમનું નુકશાન કરવું છે. અને પિતાને સુખ, શાંતિ જોઈએ છે. પણ તે અને નહિ. જે તમારે સુખશાતા જોઈતી હોય તે બીજાઓને દુઃખી નહિ કરવાની તમારે પ્રતીજ્ઞા લેવી જોઈએ.
પ્રતિજ્ઞા લેનારથી ભૂલ થવા સંભવ છે. અને એવી ભૂલ કદાચ થાય પણ ખરી. પરંતુ દયા ભાવ હેવાથી અલ્પ પાપને બંધ થાય, વધારે થાય નહિ. જ્યારે પ્રતિજ્ઞાનાઅભાવમાં દરેક બાજુએથી અધિકાધિક બંધ થાય છે.
પ્રતિજ્ઞા લેનાર ભાગ્યશાળીની પરાધીનતા ઉત્તરોત્તર ખસતી જાય છે. અને અનુક્રમે સ્વાધીનતા મળતી રહે છે. પછી તેને સુખની યાચના કરવી પડતી નથી. માટે દરેકે અમુક પ્રતિજ્ઞા–નિયમ તે જરૂર લેવી જ જોઈએ.
હજી કામ બાકી છે. તમે એ જરૂરનાં સઘળાં કાર્યો કર્યો હશે અને તેથી તમે ખુશી થતાં હશો. પણ હજી જરૂરનું ખાસ કામ રહી જાય છે.
તમે કહેશે, એવું કયું કામ રહી જાય છે તે અમને કહે. તે સાંભળે! હજી તમારે દુષ્ટ કમેને કાપે અને પરલોકમાં સાથે આવે એવી કમાણીનું કામ કરવાનું બાકી છે.
For Private And Personal Use Only