________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ ભેદ જાણુ દંભી અને કપટકલા કરનારની પ્રશંસા કરી તેમજ તેમને પ્રણામ કરી અને માન-સન્માન આપી રાજી થવા જેવું નથી. કારણ તેઓ અંતે દગો દે છે.
નમ્ર, સરલ, સદ્ગુણી તમારી પ્રશંસા કરે નહિ કે માન-સન્માન ન કરે તે તમારે તેના ઉપર અણગમો ધારણ કરે નહિ. તેમાં હિત છે. કારણ દંભી કરતાં સગુણ ઉત્તમ છે. તે દઓ કરશે નહિ. માટે પ્રથમ સદ્ગુણી અને દંભીનો ભેદ જાણુ.
સેવાના બદલામાં શું? કોઈપણ બદલાની આશા–તૃષ્ણા રાખી જે સેવા કરે છે તે સાચે સેવાભાવી નથી. સાચા સેવાભાવી તે કેઈપણ પ્રકારની આશા-તૃષ્ણ વિનાને હોય છે. પછી ભલે તે સમાજ સંઘ કે રાષ્ટ્રની સેવા કરતે હાય.
સેવા કરવાની ઈચ્છાવાળે બદલાની આશાએ સેવા કરે તે તે સેવા સાચું ફળ આપતી નથી. તેનાથી માન-સન્માનાદિ મળે. પણ તે કંઈ સાચું ફળ નથી. સાચું ફળ તે મમતા અહંકાર વગેરેને ત્યાગ કરવામાં છે. બદલે લેવાની જે તૃષ્ણ હોય તે આ મમતા–અહંકાર વગેરે કયાંથી દૂર થાય?
બદલે લેવાની ઈચ્છાએ કલેશ કંકાસનું કારણ છે. જેઓ સેવા કરતી વખતે કેઈપણ પ્રકારની સ્પૃહા રાખતા નથી તેઓને સારા સંયે મળ્યા જ કરે છે. આથી સેવા. કરનારે કદી બદલાની આશાએ સેવા કરવી નહિ.
For Private And Personal Use Only