________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૩૧
નામના અને કામના નામનાની કામનાને અને આત્માના ગુણોને અનાદિ. કાળથી સંબંધ છે જ નહિ. જ્યાં કામના હોય ત્યાં આત્મિક ગુણની ભાવના હોય નહિ. આત્મિક ગુણો મેળવવા હોય તે નામનાની કામનાને ગૌણ કરે.
- એવા વીરલા કેટલા? અસાધ્ય વ્યાધિ આવી વળગે અગર મરણ પામવાની તૈયારી હોય ત્યારે ઘણો ભય થાય છે. એ વ્યાધિને હટાવવા બની શકે એવા ઈલાજે કરવામાં આવે છે અને મૃત્યુને હઠાવવા માટે શક્ય ઉપાય કરવામાં ખામી રાખવામાં આવતી નથી. છતાંય મૃત્યુ થાય છે અને જીવ વલેપાત કરતો પરલોક જાય છે.
- અસાધ્ય વ્યાધિ કે મરણ આવ્યા પહેલાં તે આવે નહિ તેના ઉપાય કરનારા કેટલા ? તેવા વિરલા જ હોય છે. તે વીરલા, ધીર-વીર બની વ્યાધિના અને મરણના કારણે રીતસર શોધી પુનઃ પુનઃ એવો ભય ના ઉભે થાય તે માટે ગુણ પ્રાપ્ત કરે છે.
આત્માના ગુણે આધિ-વ્યાધિ-ઉપાધિ તેમજ મરણના ભયનો નાશ કરવા સમર્થ છે. દુન્યવી ઉપાયથી જન્મ–જરા મરણને ભય નાશ થતો નથી. આત્માના ગુણોને સાક્ષાત્કાર કરે તે જ એક માત્ર ઉપાય છે. આ માટે. એવું ન હોત તે જ્ઞાનીઓ આત્માના ગુણને વિકાસ કરવાનું કહેત નહિ અને દુન્યવી ઉપચારથી જ એ ભયે નાશ પામી જાત. પરંતુ એમ બનતું નથી. માટે હે ભવ્ય ! તમે આત્માના ગુણને વિકાસ કરે.
For Private And Personal Use Only