________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૨૧ વિચાર આચારને સદાચાર સદાચારી ચકવતીની જેમ સુખ સાહ્યબી ભગવતે હોય તે પણ તે તેમાં રાચી માચી રહેતું નથી. સંવેગ અને વૈરાગ ધારણ કરી તે સાહ્યબીમાં તે જલકમળની જેમ નિલેપ રહે છે.
ભાગ્યને દુરાચારી સાધન સંપન્ન હોય છતાં તેમાં આસક્ત બની લપાતાં રહે છે. કોઈ જ્ઞાની તેને શિખામણ આપે કે આવી મળેલી સામગ્રીને પરોપકાર કરી સફળ કરીશ તે પરિણામે પરિતાપ થશે નહિ અને માયા–મમતાના વિકારે થશે નહિ. ત્યારે પણ દુરાચારી તે એમ જ કહેશે કે તમે તે ધર્મ ઘેલે છે, અંધ છે. આવા પુણ્યહીનાઓને કયાંથી સુખ સાધને મળે?
- માણસમાં માણસાઈ હોય તે સુખનાં સાધને હશે તે તેને એ વિવેકથી વિચાર કરશે કે આ સાધને મને સદાચારના પાલન પિષણથી જ મળ્યા છે. માટે લાવ એ સાધને જ્યાં સુધી મારી પાસે છે ત્યાં સુધી તેને સ્વપરને ઉપકાર થાય તેમ ઉપગ કરી લઉં.
વિવેક પૂર્વક વિચાર કરવાથી સુંદર ભાવના ભવાય છે. તે જે કાયમ રહે તે ધારેલા કાર્યો હિતકારક બને. અને સંગે બદલાતાં પણ જે તેને ઉપગ રાખવામાં આવે તે એ ભાવના પણ કાયમ રહે. આવી ભાવના આત્મજ્ઞાની સદ્ગુરુને સંગ મળતાં દઢ બને છે. અને પ્રસંગ મળતાં તે ભાવના આચારમાં મુકવાની પણ શક્તિ મળી રહે છે.
For Private And Personal Use Only