________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
આંતર જ્યોતિ ઘાત, વિશ્વાસઘાત અને આત્મઘાત
આર્થિક લાભ મેળવવા ખાતર જે મનુષ્યને વિશ્વાસઘાત કરે છે અને બીજા મનુષ્યને દુઃખમાં મૂકે છે અને ખુશી થાય છે તેવા માણસો આત્મિક ગુણેને ઘાત કરે છે, તેવા આત્મઘાતી મનુષ્ય ભવભવમાં મહા યાતનાને પામે છે.
જે આર્થિક લાભને પ્રાપ્ત કરી સુખ-શાંતિની આશા હતી તેને બદલે પ્રથમ મનમાં ભયના ભણકારા વાગે છે અને માનસિક અશાંતિ ઊભી કરી મહા દુઃખને અનુભવ કરે છે. શાથી? વિશ્વાસ વિગેરે કરવાથી પછી, વર્તન ને વિચારમાં પણ કે શાહુકારી બતાવવામાં પણ કેઈ સજ્જન વિશ્વાસ રાખતાં નથી. આમ પાપથી પેટ ભરીને કયાંથી સુખી થાય?
અજ્ઞાનતાથી દુરાચાર સેવવાં અને વિશ્વાસઘાત કરે અને પછી સુખ શાતાની આશા રાખવી તે તેમ કેમ બને? કારણ એ વિશ્વાસઘાત તે માનવીને દુઃખ જ આપે. માટે સુખશાંતિ જોઈતી હોય તે માણસે તેની વાણી વર્તન અને વિચાર શુદ્ધ રાખે જોઈએ.
સદાચારીનું કઈ દુશ્મન બનતું નથી, અને જે બને છે તો તેની આગળ તેનું ઝાઝું ચાલતું નથી અને કદાચ થોડું સમય તેનું જોર ચાલે તે પણ અંતે તે એ તેની માફી માગે છે. આ સદાચારને મહિમા છે તે હે ભવ્ય ! તમે સદાચારી બનો;
For Private And Personal Use Only