________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૦૮ જાગતે રહો સંસારખ વિષય કષાયની આસક્તિ વડે જાગૃતિ રાખવી તે સંસારમાં કલેશ-કંકાસનું કારણ બને છે, અને ઉન્માર્ગે જવાય છે. અને તેનું દુઃખદાયી પરિણામ આવે છે.
સંસારની પ્રવૃત્તિમાં વિકથાની વાત હોય તે કર્મ બંધ થાય. પરંતુ તે ટાણે ધર્મધ્યાન કરવામાં આવે તે કર્મ બંધ ન થાય અને સદ્ભાવના વધે. માટે જાગતા રહીને ધર્મધ્યાન કરવામાં ઉપગ રાખ. તેથી દુઃખ-દરિદ્રતા નષ્ટ પામતી જાય છે. કર્મ બંધાતા નથી અને અંતે સુખ શાંતિ મળે છે
સાવધ રહે વિચાર કરતાં, બેલતાં અને વર્તન કરતાં સારી જાગૃતિ હોય તે નવીન ચીકણું કર્મ બંધાય નહિ. અને જુનાં તો સમયે ક્ષય પામે છે. માટે વિચાર વગેરે કરતાં નવાં કર્મ બંધાય નહિ તેને ઉપગ રાખવે.
વિષય કષાયના વિકારે એવા દુષ્ટ છે કે ધાર્મિક કાર્યો પ્રસંગે જે જાગ્રત રહેવામાં ન આવે તે લાગ મળતાં તે મનમાં પ્રવેશ કરીને પુણ્ય-પવિત્રતાને બદલે પાપી અને અપવિત્ર બનાવે અને ધાર્મિક ક્રિયાઓનું સાચું ફળ બેસવા દે નહિ.
For Private And Personal Use Only