________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આંતર જ્યોતિ ક્યાં સુધી આ શરીર ? શરીર અને તેની તાકાતમાં જે મારાપણું માની બેઠેલા છે તે શરીરની તાકાત ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. છતાં માણસ તે તાકાત કાયમ રહેશે એમ ભ્રાંતિથી માનીને તેની આળપંપાળ કરી પાપ કરવામાં પાછું વાળીને જેતે નથી. છતાંય શરીર તેમનું થતું જ નથી. અને અંતે તે શરીર કંગાળ બની જાય છે. આમ શરીરની મમતા માનવીને મીઠે માર ખવડાવે છે
દેવ, દાનવો અને માનવીએ પોતાના શરીરની સંભાળ રાખવામાં કે ઉપદ્રવ મચાવે છે તે જાણવા જેવું છે. તેઓ શક્તિ ઓછી થાય નહિ તે માટે અનેક પદાર્થોનું સેવન કરે છે, ને પછી લડાઈ–અખેડામાં તેને વેફી નાંખે છે. પરંતુ તેના બદલે જે માણસ સદ્દગુરુને સમાગમ કરીને શરીરની આસક્તિને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવે તે સત્ય સુખને પામે છે.
છુપા દુશ્મનો રાગ, રીસ, અદેખાઈ વગેરે મહાન દુઃખ આપનાર છૂપા શત્રુઓ છે. તેને ત્યાગ કર્યા વિના મોક્ષમાર્ગ સુગમ બનશે નહિ. સંસારમાં જે કોઈ મીઠે માર ખવરાવનાર હોય તે તે આ રાગ, રીસ, અદેખાઈ વગેરે છે. તેને જો ત્યાગ કરવામાં આવે તે આત્મા પરમાત્મા બને.
For Private And Personal Use Only